પવન કલ્યાણ અને અન્ના લેઝનેવા છુટાછેડા લેવાના નથી

મુંબઇ, છેલ્લા કેટલાક દિવસોથી પવન કલ્યાણની ત્રીજી પત્ની અન્ના લેજનેવાથી છૂટાછેડાના સમાચાર આવી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અભિનેતાના લગ્ન તૂટી ગયા છે અને પત્ની અન્ના રશિયા પરત ચાલી ગઈ છે. હવે આખરે પવન કલ્યાણે છૂટાછેડાના આ સમાચારો પર પ્રતિક્રિયા આપી છે. અભિનેતા રાજકારણમાં પણ સક્રિય છે, અને તેની જનસેના પાર્ટીએ તેની પત્ની અન્ના લેઝનેવાથી છૂટાછેડા લીધાના અહેવાલોનો અંત લાવી દીધો છે.

પવન કલ્યાણ અને અન્ના લેઝનેવા છેલ્લા ઘણા સમયથી અલગ રહેતા હોવાની અફવાઓ ફેલાઈ રહી હતી. અન્ના બાળકો સાથે તેના દેશ રશિયા પરત ફર્યા છે. અણ્ણા પવન કલ્યાણના પરિવારના કોઈપણ કાર્યક્રમ કે ફંક્શનમાં જોવા મળ્યા ન હતા. તે રામચરણની પુત્રીના નામકરણ સમારોહમાં પણ જોવા મળી ન હતી. આ બધી બાબતો જોઈને એવી અટકળોનો દોર શરૂ થયો કે પવન કલ્યાણ અને અન્ના છૂટાછેડા લેવાના છે.

પવન કલ્યાણના રાજકીય પક્ષે તેના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ લખીને અભિનેતાના છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું હતું. ટ્વીટમાં લખ્યું હતું કે પવન કલ્યાણે વારાહી યાત્રાનો પ્રથમ ચરણ પુરો કર્યા બાદ પત્ની અન્ના સાથે પૂજા કરી હતી. આ પૂજા હૈદરાબાદમાં પવન કલ્યાણના ઘરે થઈ હતી. અભિનેતાની આ રાજકીય સફરનો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે.

પવન કલ્યાણે ૨૦૧૩માં અન્ના લેજનેવા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. અન્ના પહેલા પવન કલ્યાણે ૨૦૦૯માં રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા જે ૨૦૧૨માં તૂટી ગયા. તે જ સમયે, અભિનેતાના પ્રથમ લગ્ન ૧૯૯૭ માં નંદિની નામની છોકરી સાથે થયા હતા. પરંતુ આ સંબંધ ૨૦૦૮માં તૂટી ગયો હતો.