
ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમવાર ઐતિહાસિક સંત સંસદનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૭ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ દરમિયાન લંડનમાં યોજાનારા આ વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમમાં દેશના અનેક જાણીતા સંતો, મહંતો અને મહામંડલેશ્વરો ભાગ લેશે. આ સંત સંસદને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કાર્યક્રમમાં વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ એક જ મંચ પર આવીને વિશ્વમાં શાંતિ, સૌહાર્દ અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપશે.
આ સંત સંસદમાં ગઢડા સ્થિત શ્રી ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને જાણીતા સંત એસપી સ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહેશે. ગઢડા માટે આ ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારા આ મહત્વના કાર્યક્રમમાં ગઢડાનું પ્રતિનિધિત્વ એસપી સ્વામી કરશે. તેમની સાથે દેશના અનેક મહામંડલેશ્વર, સંતો અને મહંતો પણ આ આધ્યાત્મિક સંમેલનમાં ભાગ લેશે. વિવિધ ધાર્મિક પરંપરાઓના અગ્રણીઓની હાજરી આ કાર્યક્રમને વધુ વિશેષ બનાવશે.
લંડનમાં યોજાનારી આ સંત સંસદનું આયોજન આગામી ૭ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ધ નેશનલ શક્તિ કેન્દ્રની ૨૫મી વર્ષગાંઠ નિમિતે આયોજિત કરવામાં આવી રહ્યો છે. સંસ્થાની રજત જયંતિની ઉજવણીના ભાગરૂપે આ ભવ્ય સંત સંસદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતની આધ્યાત્મિક પરંપરા અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિષયો પર ચર્ચા તેમજ સંવાદ યોજાશે.
આ સંત સંસદની સૌથી મોટી વિશેષતા એ છે કે ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમવાર આ પ્રકારનું વિશાળ આધ્યાત્મિક સંમેલન યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં હિન્દુ, બૌદ્ધ, શિખ અને જૈન ધર્મના પ્રતિનિધિઓ એક જ મંચ પર ઉપસ્થિત રહેશે. વિવિધ ધર્મોના સંતો અને ધાર્મિક આગેવાનો વિશ્વમાં માનવતા, ભાઈચારો, શાંતિ અને આધ્યાત્મિક મૂલ્યોનો સંદેશ આપશે. વિવિધ પરંપરાઓ વચ્ચે સંવાદ અને સહઅસ્તિત્વનો આ પ્રયાસ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
દેશના વિવિધ રાજ્યોમાંથી મહામંડલેશ્વર, સંતો અને મહંતો આ કાર્યક્રમમાં હાજરી આપશે. સંત સંસદ દરમિયાન ભારતીય આધ્યાત્મિક વિરાસત, સંસ્કૃતિ, જીવનમૂલ્યો અને વૈશ્વિક શાંતિ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ વિશ્વભરમાં વસતા ભારતીય સમાજ અને નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જાડવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમ ભારતની આધ્યાત્મિક પરંપરાને વૈશ્વિક મંચ પર વધુ મજબૂત ઓળખ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગઢડાના એસપી સ્વામીની હાજરી સમગ્ર બોટાદ જિલ્લાની સાથે ગુજરાત માટે પણ ગૌરવની બાબત બની છે. ૭થી ૧૪ ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ સંત સંસદમાં વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ એક મંચ પર આવીને આધ્યાત્મિક વિરાસત, માનવ એકતા અને વિશ્વ શાંતિનો સંદેશ આપશે. ઈંગ્લેન્ડમાં પ્રથમવાર યોજાનાર આ ઐતિહાસિક સંત સંસદને લઈને ધાર્મિક વર્તુળોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે અને વિશ્વભરના ભારતીયો માટે પણ આ કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.