દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં રોડ પર આવેલ મંદિર અને સમાધિ પર પ્રશાસને બુલડોઝર ચલાવ્યું

નવીદિલ્હી, દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે રોડ પર આવેલ મંદિર અને સમાધિ પર પ્રશાસને બુલડોઝર ચલાવ્યું છે આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તહેનાત કરવામાં આવ્યા હતા. વજીરાબાદ રોડ પર અતિક્રમણ હટાવવા માટે આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરમિયાન આ દરમિયાન પબ્લિક વર્કસ વિભાગ (પીડબ્લ્યુડી)ના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યાં હતાં.

દિલ્હી પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે પોલીસે ડ્રોન વડે પણ વિસ્તાર પર નજર રાખી છે પોલીસે બેરિકેડિંગ કરીને વિસ્તારને સીલ કરી દીધો હતો અધિકારીઓનું કહેવુ છે કે ફલાયઓવરનું નિર્માણ થઇ રહ્યું છે આ સાથે જ અહીં રોડ પહોળો કરવાની પણ યોજના છે જેના કારણે મંદિર અને દરગાહને દુર કરવામાં આવી રહી છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર અતિક્રમણ હટાવવાથી અહીંના લોકોને સૌથી વધુ ફાયદો થશે ભજનપુરા ચોકમાં અવારનવાર રસ્તા જામની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આ અતિક્રમણ હટાવવાથી લોકોને આ સમસ્યામાંથી મહદઅંશે છુટકારો મળશે જેના કારણે જેસીબીની મદદથી મંદિર અને દરગાહને અહીંથી દુર કરવામાં આવી રહી છે.

પહેલા દરગાહને હટાવવામાં આવી હતી જે ત્રણ દાયકાથી વધુ જુની છે.દરગાહને હટાવ્યા બાદ મંદિરને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને કડક સુરક્ષા વચ્ચે મંદિરને હટાવી દેવામાં આવ્યું હતું. અતિક્રમણ હટાવવાન વિરોધ કરવામાં આવ્યો હતો

પોલીસ કર્મચારીઓને અસામાજિક તત્વ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે જો કઇ ઉપદ્વવ ફેલાવવાન પ્રયાસ કરશે ત તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મંદિર અને દરગાહને હટાવ્યા બાદ તુંટ સમયમાં જ જગ્યા પર સમારકામ કરીને રોડનો રૂપ આપવામાં આવશે આ સમગ્ર કાર્યવાહી પીડબ્લ્યુુડીના આદેશ પર કરવામાં આવી રહી છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ડીડીએએ દિલ્હીના મહેરોલીમાં અતિક્રમણ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું ડીડીએના અધિકારીની હાજરીમાં ચાર બિલ્ડીંગમાં બનેલા ૫૦થી વધુ ફલેટ તોડી પાડવામાં આવ્યા હતાં ત્યારે અધિકારીઓનું કહેવુ છે કે આ કાર્યવાહી હાઇકર્ટના આદેશ પર કરવામાં આવી છે તેજ સમયે આ દરમિયાન સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્ય હત અને સમગ્ર કાર્યવાહીનો વિરોધ કર્યો વિરોધ કર્યો હતો.