દિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દિ ટ્રેનમાં વિકરાળ આગ

દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દિ એક્સપ્રેસમાં ભીષણ આગની ઘટના બની છે.

મળતી વિગતો પ્રમાણે ટ્રેનના સી પાંચ કોચમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી .જોકે તેમાં મુસાફરી કરી રહેલા તમામ 35 યાત્રીકો હાલમાં સુરક્ષિત છે અને તમામને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

મળત વિગતો પ્રમાણે હરિદ્વાર પાસે ટ્રેનનો કોચ આગમાં સપડાયો હતો અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ.રેલવે અધિકારીઓને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

રેલવેના અધિકારીઓએ કહ્યુ હતુ કે, જે કોચમાં આગ લાગી હતી તેને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો છે અને બાકીની ટ્રેનને આગળ રવાના કરી દેવામાં આવી છે.જે કોચમાં આગ લાગી હતી તે કોચના મુસાફરોને બીજા કોચમાં શિપ્ટ કરવામાં આવ્યા હતા.

Don`t copy text!