પીઓકેમાં પ્રદર્શનકારીઓ પર ક્રૂરતા: પાકિસ્તાની સેનાના ગોળીબારમાં ૧૯ લોકોના મોત થયાં

રાવલકોટમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો. ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૯ લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગોળીબારમાં લગભગ બે ડઝન અન્ય ઘાયલ થયા છે. જાઈન્ટ આવામી એક્શન કમિટીએ એક વીડિયો બહાર પાડ્યો છે.

વીડિયોમાં,જેએએસીએ જણાવ્યું હતું કે વિરોધ કાફલો ચિનાર ચોક પહોંચ્યો હતો અને રાવલકોટના મકબુલ ભટ શહીદ ચોકમાં રાત રોકાતા પહેલા ડી-ચોક તરફ આગળ વધી રહ્યો હતો.વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, “આજે, પાકિસ્તાની સુરક્ષા દળોએ અમારા નિર્દોષ યુવાનો પર ગોળીબાર કર્યો હતો. પરિણામે, અમારા ૧૯ યુવાનો શહીદ થયા છે. તેમાં ઉસ્માન નઝીર, જે ચળવળના સ્થાપક ઉમર નઝીર કાશ્મીરીના નાના ભાઈ છે. અન્ય શહીદોમાં ખૈગાલા, કોટલી શહેર, તટ્ટાપાની, બાંજા-બાસપુર, છોટા ગાલા અને હવેલીના એક-એક લોકોનો સમાવેશ થાય છે.

કુલ ૧૯ લોકો શહીદ થયા છે, જેમાં અમારા બે બલૂચ મિત્રોનો પણ સમાવેશ થાય છે. લગભગ બે ડઝન અન્ય ઘાયલ થયા છે.”તેમણે વિદેશમાં રહેતા કાશ્મીરીઓને આ મુદ્દો આંતરરાષ્ટય સ્તરે ઉઠાવવા અપીલ કરી અને આરોપ લગાવ્યો કે અધિકારીઓ પ્રદર્શનકારીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું, “આપણે આગળ વધી રહ્યા છીએ. હું વિદેશમાં રહેતા કાશ્મીરીઓને આ અત્યાચારો સામે ઉભા રહેવા અપીલ કરું છું. રાજ્ય ગભરાટની સ્થિતિમાં છે અને નરસંહારનો આશરો લઈ રહ્યું છે.

કૃપા કરીને પાકિસ્તાની દૂતાવાસો અને સંયુક્ત રાષ્ટ્ર જેવા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો સામે વિરોધ કરો. લોંગ માર્ચમાં ભાગ લેનારાઓ સાથે એકતા દર્શાવવા માટે રેલીઓનું આયોજન કરો.”રાવલકોટ લોંગ માર્ચમાં જે ૧૯ લોકો માર્યા ગયા હતા તેમાંનઈમ બટ્ટ, કોટલી,ઉસ્માન નઝીર, રાવલકોટ,નિસાર અહેમદ, બલૂચિસ્તાન,કાશીફ યાકુબ, રાવલકોટ,સરદાર ફિદા હુસૈન, ત્રારાખાલ,મુઝમ્મિલ, અલી સોજલ,બાસિત શાહ, હજીરા,ફહીમ અફઝલ, છોટા ગલ્લા, રાવલકોટ,કામરાન મુશ્તાક પનાખા (મુશ્તાકનો પુત્ર) – હજીરા,ઝરઘમ ખલીલ, દરેક, રાવલકોટ,સાકીબ હનીફ, રેરાહ બાન, રાવલકોટ,સાકિબ ઈશાક, નમ્બ ગ્વારા, પલાંદ્રી,અરીલ અસગર, તત્તા પાની,ઉસ્માન ગુલ, દારેક ધોક, રાવલકોટ,ઝફીર પહેલવાન, ,નિસાર શાહીન, પાઠો નરબાઈ,અલી હુસૈન, ખારી શરીફ, મીરપુર,ખ્વાજા અબરાર લતીફ દાર, ખુર્શીદાબાદ, હવેલી.કામરાન હાફિઝ, કહુતા

ભારતે વિરોધનું વર્ણન કર્યું છે ઇસ્લામાબાદ દ્વારા “બળજબરીથી” કબજામાં લેવાયેલા વિસ્તારોમાં દાયકાઓથી ચાલી રહેલા “વ્યવÂસ્થત શોષણ અને વહીવટી દમન”નું “સીધું પરિણામ” તરીકે પીઓકે અને વિરોધીઓ સામે કથિત પોલીસ બર્બરતાની ટીકા કરી