ગોધરામાં ગુજરાત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં તબીબની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુ થયાના આક્ષેપ સાથે થયો હોબાળો.

ગોધરા શહેરમાં આવેલી (Private Hospital)ખાનગી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ થયો હોબાળો પરિવારજનો દ્વારા તબીબની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુ થયાનો કર્યો આક્ષેપ ગોધરાના બામરોલી રોડ પર આવેલી ગુજરાત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું તાજેતરમાં જ કેબિનેટ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉદઘાટન કર્યું હતું હોસ્પિટલમાં પૂરતી સગવડ વિના તબીબો દ્વારા સારવાર કરાતી હોવાનો પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ હોસ્પિટલ ખાતે પરિવારજનો દ્વારા તબીબને હાજર કરવાની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો ઘટનાને પગલે પોલીસકાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો