શહેરા સિંધી સોસાયટી ખાતે આવેલ ગુરૂનાનક મંદિરના 11 વર્ષ પૂર્ણ થતા ભક્તોએ સત્સંગ સાથે પ્રસાદીનો લ્હાવો લીધો હતો

શહેરા નગર વિસ્તારમાં સિંધી સોસાયટી ખાતે આવેલ ગુરૂનાનક મંદિરના 11 વર્ષ પૂર્ણ થતા સત્સંગ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે સત્સંગનું રસપાન બોમ્બે થી આવેલ દાદા રમેશ દયા રામાણી એ કરાવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમનો મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો એ લ્હાવો લેવા સાથે ભંડારામાં પ્રસાદી લીધી હતી. અનેક ભક્તોની આસ્થા આ ગુરૂનાનક મંદિર સાથે જોડાયેલી છે.