
- વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાના શ્રી ગણેશ એટલે “શાળા પ્રવેશોત્સવ.”
દાહોદ, “શાળા પ્રવશોત્સવ થકી સ્વર્ણિમ બનશે આવતીકાલ ઉજવણી ઉજ્વળ ભવિષ્યની ” શાળા પ્રવશોત્સવમાં જીલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા ઝાલોદ તાલુકાના વગેલા પ્રાથમિક શાળામાં અને ફતેપુરા તાલુકાના લખનપુર પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓને ચંદન તિલક કરી તેમને શૈક્ષણિક કીટમાં સ્કૂલ બેગ અને પુસ્તિકાનું વિતરણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો અને નાના ભૂલકાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. તેમજ લોહીની ચેકઅપ પણ કરવામાં આવ્યું અને આંખો પણ તપાસવામાં આવી અને તેની ઓનલાઇન આયુષ્માન ભારત(આભા)માં ID બનાવીને તેની ઓનલાઇન નોંધણી કરવામાં આવી. નવી શિક્ષણ નીતિનો અમલ કરી શાળામાં બાલવાટિકામાં 5 વર્ષના બાળકોને અને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને ધોરણ -1 માં પ્રવેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત શાળામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર બાળકોને પણ પ્રોત્સાહિત કરવા ઇનામ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો સરપંચ અને આંગણવાડીના કાર્યકર્તાઓ, આરોગ્યના કર્મચારીઓ, વડીલોની ઉપસ્થિતિ રહી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજીત ક્ધયા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત ઝાલોદ તાલુકાના વગેલા પ્રાથમિક શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છા પાઠવી હતી.