ગરબાડાના બુટલેગરને દાહોદ પોલીસે ઝડપી પાસા હેઠળ અમરેલી જેલમાં ધકેલ્યો

દાહોદ, દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની બદીને ડામવા માટેની કાર્યવાહી પોલીસ દ્રારા કરવામાં આવી રહી છે. તેમાં પ્રોહીબીશન લિસ્ટેડ બુટલેગરોને ઝડપી જેલ ભેગા કરવાની કાર્યવાહી અંતર્ગત જીલ્લામાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાની તેમજ હેરાફેરી કરી પ્રોહીના ગુનામાં સંડોવાયેલા ઈસમો તેમજ લિસ્ટેડ બુટલેગરોની યાદી દાહોદ પોલીસે આયોજનબધ્ધ યાદી તૈયાર કરી તેમજ ઘણા લાંબા સમયથી પાસા વોરંટ ફરારી આરોપીઓની માહિતી એકત્રિત કરી તેઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી માટે દાહોદ કઈઇ પોલીસ માહિતી એકત્રિત કરી કાર્યરત હતી. તે દરમિયાન ગરબાડા પોલીસ સ્ટેશન ગુનામાં સંડોવાયેલા પ્રોહી બુટલેગર વિરૂદ્ધ જીલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવી દ્વારા 2022 માં છત્રસિંહ ઉર્ફે સતીશભાઈ ભારતસિંહ પરમાર રહેવાસી સીમલીયા બુઝર્ગ લીમ ફળીયા નાઓને એલસીબી પોલીસે ગરબાડા ખાતેથી ઝડપી તેઓને દાહોદના પોલીસ હેક્વાટર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાંથી એલસીબી પોલીસે તારીખ 11 મી જૂનના રોજ ગુજરાતનાં અમરેલી જેલ ખાતે પાસા હેઠળ મોકલી આપ્યો હતો.