પાવાગઢ યાત્રાધામ ખાતે 35 થી 45 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ

પાવાગઢ, પાવાગઢ યાત્રાધામ ખાતે પવનની તિવ્રતા વધતાં છેલ્લા પાંચ કલાકથી રોપ-વે સેવા બંધ કરાઈ. યાત્રિકોને પગપાળા ચડવાનો વારો આવ્યો.

ગુજરાતના દરિયા કિનારા ઉપર બિપોરજોય વાવાઝોડા થી પવનો ફુંકાઈ રહ્યા છે. ફુંકાતા પવનોની અસર પંચમહાલ જીલ્લાના યાત્રાધામ પાવાગઢમાં જોવા મળી પાવાગઢમાં પવન 35 થી 45 કિ.મી.ની ઝડપ થી ફુંકાતા માંચી ખાતે ચાલતી રોપ-વે સેવાઓ છેલ્લા પાંચ કલાક થી બંધ કરાઈ છે. રોપ-વે સેવા બંધ કરતાં યાત્રિકોને પગપાળા પાવાગઢ ચડવાનો વારો આવ્યો.