બાલાસિનોરમાં તળાવની માટી બાબતે યુવકને ત્રણ ઈસમોએ માર માર્યો

બાલાસિનોર, બાલાસિનોરમાં રહેતા શખ્સ તળાવમાં માટી કાઢતા બે શખ્સો આવી કહ્યુ હતુ કે, તમે કોને પુછીને આ માટી ખોદી છો દરમિયાન બે શખ્સોના મિત્રો મળતા માટી ખોદનાર શખ્સે મિત્રો અંગે પુછતા ત્રણેય શખ્સે અપશબ્દો બોલી માર માર્યો હતો. આ અંગે બાલાસિનોર પોલીસે ગુનો નોંઘ્યો છે.

બાલાસિનોરમાં રહેતા રાજુ વણઝારા પરિવાર સાથે ખેતી કામ કરે છે. તા.25મેના રોજ રાજુ બાલાસિનોર ગામના તળાવમાં માટી ખોદવાનુ કામ કરતા હતા દરમિયાન કેતુલ અને રૂપેશ આવી કહ્યુ હતુ કે,તમે કોને પુછીને આ માટી ખોદો છો કહી અમને પુછયા વગર કોઈ કામ રાખીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રવિવારે સવારે ધરનુ કરીયાણુ લેવા શહેરના સાલિયાવડી દરવાજા પાસે જતા કેતુલના મિત્ર દશરથ, તેનો દિકરો સુજલ અને જયંતિ મળ્યા હતા જેથી રાજુએ પુછ્યુ હતુ કે, કેતુલ અને રૂપેશ કયા છે પુછતા દશરથ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જયારે સુજલે ગાલ પર લાફા મારી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે બાલાસિનોર પોલીસે કેતુલ, રૂપેશ અને દશરથ પટેલ, સુજલ પટેલ અને જયંતિ પટેલ વિરુદ્ધ ગુનો નોંઘ્યો હતો.