શહેરાના શેખપુર થી જેથરીબોરના રસ્તો બિસ્માર થતાં વાહન ચાલકો પરેશાન

શહેરા, શહેરા તાલુકાના શેખપુર ગામથી જેથરીબોર થઈને કેળ ગામ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી અહીથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.આ ડામર રસ્તો દસ કરતા વધુ ગામોને જોડતો હોવા સાથે એક વર્ષથી અનેક જગ્યાએ તૂટી ગયેલ હાલતમાં હોય તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આની મરામત નહીં કરવામાં આવતા વાહન ચાલકો માટે આ રસ્તો કમ્મર તોડ હાલ સાબિત થઈ રહ્યો છે. રસ્તો અનેક જગ્યાએ તૂટી જવા સાથે ઉબડખાબડ બનતા ટુ વ્હીલર જેવા નાના વાહનચાલકો ને અહીથી પસાર થતા વખતે ભારે તકલીફ પડતી હોય તેમજ સમયનો પણ વેડફાટ થતો હોય ત્યારે સબંધિત તંત્ર દ્વારા આ રસ્તો નવીન બનાવવામાં આવે તેવી માંગ અહીથી પસાર થતા વાહન ચાલકો રાખી રહયા હતા.