
મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે મુંબઈના પશ્ર્ચિમ ભાગમાં નિર્માણાધીન બાંદ્રા-વર્સોવા સી લિક્ધનું નામ હિન્દુત્વના વિચારક વીડી સાવરકરના નામ પર રાખવામાં આવશે. શિંદેએ એમ પણ કહ્યું કે કેન્દ્રની જેમ જ રાજ્ય સ્તરે અપાતા વીરતા પુરસ્કારનું નામ પણ સાવરકરના નામ પર રાખવામાં આવશે. નવી દિલ્હીમાં સાવરકરની જન્મજયંતિ પર પોતાના સંબોધનમાં શિંદેએ કહ્યું કે કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે જાણીજોઈને સાવરકરને બદનામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આવા લોકોને ડર છે કે જો સાવરકરના વિચારો સમાજમાં લોકપ્રિય થશે તો તેમને પોતાની દુકાનો બંધ કરવી પડશે.
શિંદેએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા મહારાષ્ટ્ર ગૃહમાં સાવરકરની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તેમણે કહ્યું, “સાવરકરના ટીકાકારો જાણે છે કે જો તેમના વિચારો સમાજમાં લોકપ્રિય થશે, તો તેમણે તેમની દુકાન બંધ કરવી પડશે. અંદાજ લગાવો કે તેઓ કેટલા ડરી ગયા છે કે સાવરકરના મૃત્યુના ૫૭ વર્ષ પછી પણ તેઓ તેમનો વિરોધ કરી રહ્યા છે. નાસિક જિલ્લામાં ૨૮ મે ૧૮૮૩ના રોજ જન્મેલા સાવરકરનું મૃત્યુ ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬ના રોજ થયું હતું. શિંદેએ કહ્યું, “બાંદ્રા-વર્સોવા સી લિક્ધનું નિર્માણાધીન સ્વતંત્રતાવીર સાવરકરના નામ પર રાખવામાં આવશે.