
રાજ્યના વિકાસમાં મીડિયાની ભૂમિકા સહાયકની છે. સરકાર હંમેશાં નાગરિકોની સુખાકારી માટે પ્રયત્નશીલ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત યુનિવસટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ અયાય-૨’ ના શુભારંભ પ્રસંગે માયમોની કામગીરીની સરાહના કરતાં કહ્યું કે, રાજ્યના વિકાસમાં મીડિયાની ભૂમિકા સહાયકની છે. સરકાર હંમેશાં નાગરિકોની સુખાકારી માટે પ્રયત્નશીલ છે, ત્યારે નીતિઓમાં સુધારા અને લોકકલ્યાણ માટે યોગ્ય ટીકા જરૂરી છે, પણ તેની પાછળનો ભાવ હકારાત્મક હોવો જોઈએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ-૨૦૨૫ ભારતના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ બની રહ્યું છે. આ વર્ષે આપણે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી, સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતી અને આપણા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.તેમણે કહ્યું કે, એક્તાનગર ખાતે ગત મહિને યોજાયેલા ‘રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ અને ભવ્ય ‘ભારત પર્વ’ જેવા કાર્યક્રમોમાં અનેક્તામાં એક્તાનો ભાવ પ્રદશત કરતી સાંસ્કૃતિક ઝલક લોકોને જોવા મળી હતી અને ભારતીય પરંપરા પુનર્જીવિત થઈ હતી.
મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, વિશ્ર્વમાં ભારતની ઓળખ તેની પ્રાચીન અને પરમ સત્ય તરફ લઈ જનારી સંસ્કૃતિને કારણે જ છે. તેમણે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે તેમણે પશ્ર્ચિમના લોકોને માત્ર ભારતીય સંસ્કૃતિની એક નાની ઝલક જ આપી હતી, જેનાથી તેઓ અભિભૂત થઈ ગયા હતા. જે લોકો તેમાં ઊંડા ઉતર્યા, તેમણે પોતાનું જીવન આ સંસ્કૃતિને સમપત કરી દીધું. તારે નવી પેઢીને આપણી સનાતન સભ્યતાનાં મૂળ મૂલ્યોનો પરિચય થાય, તે પણ ખૂબ જ આવશ્યક છે.
મુખ્યમંત્રીએ ‘ભારતકૂલ’ના આ બીજા અયાયના આયોજન બદલ ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવસટીને અભિનંદન પાઠવી, યુવા શક્તિને તેમના સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાવા બદલ આ કાર્યક્રમને એક યોગ્ય મંચ ગણાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશને આગળ લઈ જવા અને વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. જો આ સંકલ્પ સાથે આગળ વધીશું, તો વિકસિત ભારતજ્ર૨૦૪૭નું સ્વપ્ન અચૂક સાકાર થશે જ અને તેમાં ગુજરાત અગ્રેસર હશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ માટે મુખ્યમંત્રીએ યુવાશક્તિએ સમય સાથે કદમ મિલાવીને સ્વદેશી, સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને ગુલામીની માનસિક્તામાંથી મુક્તિ જેવા સંકલ્પો સાથે વિકાસના પંથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસમાં ‘ભાવ, રાગ અને તાલ’ને મહત્વના ગણાવી ભારતકૂલના કાર્યક્રમમાં ‘ભાવ, રાગ અને તાલ’ જેવા અદભુત વિષયોની પસંદગી બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસની હરણફાળની જે રીતે શરૂઆત કરાવી, તેની પાછળ રાજ્યના વિકાસનો ભાવ મુખ્ય હતો. તેમના મતે, પોતાના રાજ્ય માટે કંઈક સારું થાય તો ખુશી થવી જોઈએ અને કંઈ ખરાબ થાય તો દુ:ખ થવું જોઈએ, આ જ ભાવના વિકાસ માટે અનિવાર્ય છે. આ ત્રણેય વિષયો-ભાવ, રાગ અને તાલ પર યુવાનો વધુમાં વધુ જોડાય તે માટેના પ્રયાસોની તેમણે સરાહના કરી હતી.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની સરકારમાં સંસ્કૃતિ, વિરાસત, રાગ અને તાલના ક્ષેત્રે થયેલા અદભુત કાર્યોની તેમણે નોંધ લીધી હતી. નાયબ મુખ્યમંત્રીએ ખાસ કરીને વડનગરમાં દેશનું સૌથી મોટું મ્યુઝિક સ્ટુડિયો બનવા જઈ રહ્યો હોવાની અને વડોદરામાં પણ સમાન વ્યવસ્થાઓ ઊભી થઈ રહી હોવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લાં ૩૦ વર્ષમાં સંસ્કૃતિ સંવર્ધન સહિતનાં ક્ષેત્રોમાં જેટલું કામ થયું છે, તે નરેન્દ્ર મોદીના શાસનની શરૂઆતથી આજ સુધી નિરંતર ચાલુ છે. તેમણે રિસર્ચ ડોક્યુમેન્ટ અને ચર્ચામાંથી નીકળેલા સૂચનોને સરકારને સોંપવા વિનંતી કરી, જેથી આ વિષયો માત્ર કાર્યક્રમો પૂરતા સીમિત ન રહે અને તેમને સરકારનાં કાર્યોમાં જોડી શકાય.આ પ્રસંગે ઉપસ્થિત બીએપીએસ સંસ્થાના સંત બ્રહ્મવિહારી સ્વામીએ વર્તમાન સમયમાં મીડિયાના મહત્ત્વ વિશે વાત કરતાં કહ્યું કે, સત્યને ઉજાગર કરવું એ માયમોનો ધર્મ છે. આ માટે સતત સવાલો પૂછવા જોઈએ. પરંતુ, સાથે-સાથે ‘સ્વ’ને પણ સવાલો પૂછતા રહેવા તેમણે મામક ટકોર કરી હતી.