રોહિત શર્માની નિવૃત્તિ બાદ ૠષભ પંત ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બની શકે છે.

મુંબઇ,રોહિત શર્મા પાસે કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવા માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે. આ વર્ષે ભારતમાં રમાનારા ૨૦૨૩ વર્લ્ડ કપ બાદ કોઈને ખબર નથી કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેશે કે નહીં. રોહિત શર્માની ઉંમર હવે ૩૬ વર્ષ થઈ ગઈ છે. ૩૬ વર્ષના રોહિત શર્મા માટે હવે લાંબા સમય સુધી ભારતની કેપ્ટનશીપ સંભાળવી શક્ય નહીં રહે. ૨૦૨૩ વનડે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમને નવા કેપ્ટનની શોધ રહેશે. ૩૬ વર્ષના રોહિત શર્મા હવે વધુ દિવસ માટે ભારતના કેપ્ટન રહી શકશે નહીં. અત્રે જણાવવાનું કે એક એવો ખેલાડી છે જે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો કાયમી ટેસ્ટ વનડે અને ટી૨૦ કેપ્ટન બની શકે છે. મેદાન પર આ ખેલાડીનો ખુબ જ આક્રમક અંદાજ છે.

ૠષભ પંત ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ૠષભ પંતે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ કારણ છે કે તેનું ત્રણેય ફોર્મેટમાં જગ્યા પાક્કી થયેલી છે. ૠષભ પંત પાસે એક સ્માર્ટ દિમાગ છે. પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણ પણ રહેલા છે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતા પંતે શાનદાર કામ કરેલું છે. ૠષભ પંત હાલ એક્સિડન્ટમાં ઘાયલ થવાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. પરંતુ તેઓ જલદી ટીમ ઈન્ડિયામાં પાછા ફરી શકે છે.

ૠષભ પંત આવનારા સમયમાં ભારતના ટોપ કેપ્ટનોમાંથી એક હોઈ શકે છે. ૠષભ પંત શીખવામાં ખુબ ચતુર છે. પંતમાં એ ચિંગારી જોવા મળે છે જે આગળ જઈને એક ધધગતી આગ બની શકે છે. પંતની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરેલું છે. ૠષભ પંતમાં એક ચિંગારી છે જેને જો નેચરલ રીતે આગળ વધવા દેવાય તો તે એક આગ બની શકે છે. પંતની એક પોતાની જ સ્ટાઈલ છે અને તેઓ યુનિક બ્રાન્ડની ક્રિકેટ રમે છે. ૠષભ પંતની બેટિંગથી ખુબ એન્ટરટેઈનમેન્ટ થાય છે. દરેક કંડિશનમાં આ યુવા બેટરનો જલવો જોવા મળતો હોય છે. વિકેટકિપિંગમાં પણ ૠષભ પંતનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું છે. પંતની બેટિંગની સ્ટાઈલ પણ ખુબ આક્રમક છે. પંતથી બેસ્ટ કઢાવવાનો એક જ રસ્તો છે કે તેમને એ કરવા દેવામાં આવે જે તેઓ કરવા માંગે છે.