ગોધરાના ભામૈયા રોડ દાદા ભગવાન મંદિરથી દર્શન કરી પરત ફરતી મહિલાના ગળા માંથી સોનાની ચેઈન તોડી જતાં ફરિયાદ

ગોધરા,ગોધરાના ભામૈયા રોડ ઉપર આવેલ ત્રિમૂર્તી દાદા ભગવાનના મંદિર ખાતે દર્શન કરી પરત ફરતી વેળાએ બાઈક ઉપર આવેલ ઈસમોએ ફરિયાદીની માતાના ગળામાં પહેરેલ સોનાની ચેઈન કિંમત 60,000/-રૂપીયા તોડી લઈ જઈ નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-અમદાવાદ હાઈવે ઉપર ભામૈયા પાસે આવેલ ત્રિમૂતી દાદા ભગવાનના મંદિર ખાતે કામીનીબેન પ્રેમપ્રકાશ શર્મા તેમની માતા પુષ્પાબેન સાથે દર્શન માટે ગયા હતા અને રાત્રીના 8.10 વાગ્યાના સમયે પરત ફરતા હતા. ત્યારે બાઈક ઉપર આવેલ બે અજાણ્યા ઈસમોએ પુષ્પાબેનના ગળા માંથી સોનાની ચેઈન અને પેન્ડલ મળી કિંમત 60,000/-રૂપીયા તોડી લઈ નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ.