
યુપી કોંગ્રેસ પ્રમુખ અજય રાયે કહ્યું, “ભાજપ-આરએસએસ દ્વારા રાષ્ટ્રના વિશ્વાસ સાથે દગો કરવામાં આવ્યો છે. આજે, ધર્મના નામે શ્રદ્ધા વેચાઈ રહી છે અને સોદા થઈ રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ અંગે બહાર આવતી માહિતી એક સંગઠિત લૂંટ દર્શાવે છે, જેમાં ઉચ્ચ-પ્રોફાઇલ વ્યક્તિઓ સામેલ છે, અને આ વાત ભાજપના ભૂતપૂર્વ સાંસદ પોતે કહી રહ્યા છે.
નરેદ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે ૫ વર્ષ અને ૩ મહિના સુધી સેવા આપનાર નિવૃત્ત અમલદાર નૃપેન્દ્ર મિશ્રાને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે આ સંગઠિત લૂંટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર છે.
ટ્રસ્ટના સભ્ય ગોપાલ રાવ પહેલાથી જ વિવાદાસ્પદ રહ્યા છે. ચંપત રાય બધી સંપત્તિ લઈને ફરાર થઈ ગયા. અનિલ મિશ્રા સહિત આરએસએસ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને ટ્રસ્ટમાં હોદ્દા આપવામાં આવ્યા હતા. હવે, સરકારે આ મામલે એસઆઇટીની રચના કરી છે અને સ્વીકાર્યું છે કે નોંધપાત્ર ગેરરીતિઓ થઈ છે.
અજય રાયે કહ્યું, “પહેલાં, ભાજપ-આરએસએસના સભ્યોએ શ્રી રામ જન્મભૂમિ ખાતે શિલા પૂજનના નામે ઘણા પૈસા એકઠા કર્યા હતા, જેનો કોઈ હિસાબ નથી. આ ૧,૪૦૦ કરોડ રૂપિયાથી વધુની ચોરી દર્શાવે છે. વિશ્વ હિન્દુ પરિષદના તત્કાલીન પ્રમુખ અશોક સિંઘલજીએ ખુલાસો કરવો જાઈએ કે તે પૈસા ક્યાં ગયા.
ભાજપ-આરએસએસએ લોકોની શ્રદ્ધા અને ભગવાનને ચઢાવેલા પ્રસાદની ચોરી કરી છે. ભાજપ-આરએસએસએ શ્રી રામ જન્મભૂમિ ખાતે સંગઠિત લૂંટ ચલાવી છે. અમે માંગણી કરીએ છીએ કે આ ગંભીર મુદ્દા પર એસઆઈટી રિપોર્ટ એક અઠવાડિયામાં રજૂ કરવામાં આવે. જાકે, દુર્ભાગ્યપૂર્ણ છે કે એસઆઈટીને તે જ અધિકારીની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જે પોતે હાલમાં મહા કુંભ મેળામાં થયેલી ભાગદોડની તપાસ કરી રહ્યા છે.”