ચૂંટણીમાં કોઈ પણ ધાર્મિક મુદ્દો ઉઠાવવાથી અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે : શરદ પવાર

બેંગ્લુરુ,કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી છે. તાજેતરમાં જ તેમણે એક રેલીમાં જય બજરંગ બલી બોલીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમના આ ધાર્મિક નારા પર હવે વિપક્ષી દળોએ તેમને ઘેરી લીધા છે. એનસીપીના દિગ્ગજ નેતા શરદ પવારે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

શરદ પવારે કહ્યું છે કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા તેનાથી તેઓ આશ્ર્ચર્યચક્તિ છે. ચૂંટણી વખતે આ બાબત યોગ્ય નથી. શરદ પવારે તેની પાછળ દલીલ કરી હતી કે ચૂંટણીમાં કોઈ પણ ધાર્મિક મુદ્દો ઉઠાવવાથી અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, જે યોગ્ય નથી. જે પણ ચૂંટણી લડે છે તે લોક્તાંત્રિક મૂલ્યો અને બિનસાંપ્રદાયિક્તાની પ્રતિજ્ઞા લે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા હતા. જે અંગે શરદ પવારે કહ્યું હતુ આપણે બિનસાંપ્રદાયિક્તાનો ખ્યાલ સ્વીકાર્યો છે. જ્યારે તેઓ ચૂંટણીમાં કોઈપણ ધર્મ કે ધાર્મિક મુદ્દાને ઉઠાવે છે, ત્યારે તેનાથી અલગ પ્રકારનું વાતાવરણ સર્જાય છે અને તે સારી વાત નથી.

આ સાથે જ દિગ્ગજ નેતા અને એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચૂંટણીમાં સ્પર્ધા હોય છે કે સૌથી મોટો હિંદુ કોણ છે. આ કેટલું બિનસાંપ્રદાયિક છે? પીએમ મોદી પોતે કહી રહ્યા છે કે વોટિંગ સમયે જય બજરંગ બલીનો જાપ કરો. તે જ સમયે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં બેરોજગારી તેની ટોચ પર છે. લોકો મોંઘવારીથી કંટાળી ગયા છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાજ્યની ભાજપ સરકાર લોકોને લૂંટી રહી છે. સામાન્ય લોકો આત્મહત્યા કરવા મજબૂર છે. પરંતુ, દેશના પીએમ નરેન્દ્ર મોદી હંમેશા પીછેહઠ કરે છે અથવા આ મુદ્દાઓ પર વાત કરવાનું ટાળે છે. આજથી બે દિવસ પછી એટલે કે ૧૦ મે એટલે કે બુધવારે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષોના નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે.