સંતરામપુરમાં રહેણાંક મકાનમાં આગ લાગતા ધરવખરી બળીને ખાખ.

સંતરામપુર,સંતરામપુર નગરના મિહિરભાઈ દરજીના મકાનમાં બંધ મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગેલી આગ એસી સોફા ઘરની સાધન સામગ્રી બળીને ખાખ આશરે લાખો રૂપિયાનું થયેલું નુકસાન. ભત્રીજીના લગ્નમાં ગયેલા અને બંધ મકાનમાં અચાનક આગ લાગવાના કારણે ચારે બાજુ આગે ઝપટમાં લઈ લીધી ધીરે ધીરે બંધ મકાન માંથી ધુમાડો નીકળતા આજુબાજુના રહીશો દોડી આવેલા હતા અને તાત્કાલિક મકાન માલિકને જાણ કરીને દરવાજો ખોલી આપને બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પહેલા જ ઘરની અંદર તમામ ઘરવખરી સામાન મળીને ખાસ થઈ ગયું હતું.

તાત્કાલિક ખબર પડતા જ આજુબાજુમાં ભરચક વિસ્તારમાં લાગેલી મકાનને આગને કાબુમાં કરી લેવામાં આવેલી હતું. જો આપકાબુકમાં ના આવતી તો મકાનની આખી લાઈન આજ્ઞા ઝપેટમાં આવી જતી અને મોટી જાનહાની ટળી આવી ઘટના અવર નવર આગની ઘટનાઓ બનતી જાય છે. પાણીનો માળો અને ફાયર ફાઈટરથી આગને બુજાવવામાં આવેલી હતી, પરંતુ ઘરની ઘરની અંદર કોઈ ન હોવાના કારણે જાનહાનિ ટળી સળગી ગયેલું સામાન તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવેલો હતો. ઘરની અંદર ચારે બાજુ બળી જવાના કારણે કલાકો સુધી આખું મકાન ભટ્ટીની જેમ તપી ગયું હતું. ઘરના પરિવારો ભત્રીજીના લગ્નમાં ગયા અને મકાન બળીને ખાખ થઈ ગયું, પરંતુ ઘરમાં કોઈના હોવાના કારણે આબાદ બચાવ થયો.