ગોધરા કલેકટર કચેરી ખાતે 25 મે જીલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  • નાગરિકો 13 મે સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજીઓ મોકલી શકશે.

ગોધરા,પંચમહાલ જીલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યકમ તા.ર5/05/2023ને ચોથા ગુરૂવારે રોજ સવારના 11.00 કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે. સંબધકર્તા નાગરિકોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્ર્નો લેખિતમાં તા.13/05/2023 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા રજુ કરવાના રહેશે. અરજી ઉપર “જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ના મથાળા હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તા.13/05/2023 સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.