ગોધરા,ઈસ્લામ મજહબમાં અતિ પવિત્ર ગણાતા રમજાન માસ પ્રસંગે જુહાપુરાના કાદરી પર્ટીપ્લોટમાં હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદે ભવ્ય રોજા ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા,જઘૠ ક્રાઈમના ડીસીપી જયરાજસિંહ વાળા, SOGના ACP બી.સી સોલંકી અને ભાજપના અનેક અગ્રણી નેતાઓ, સામજિક સંસ્થાના આગેવાનો, હિન્દુ ધર્મના અને મુસ્લિમ સમાજ આગેવાનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ પ્રસંગે ઇકબાલ સૈયદે એ જણાવ્યું કે, ભારત ધર્મનિરપેક્ષ દેશ છે, જયાં વિવધ ધર્મો પાળતા જનસમુદાય સંપથી સાથે રહે છે. એજ ભારત દેશની સંસ્કૃતિ અને સંસ્કારની સાચી ઓળખ છે. લોકોમાં શાંતિ, સુલેહ અને એકતાની ભાવના જાગૃત કરવાના આશયથી જ આ પ્રકારે દર વર્ષે રમજાન પ્રસંગે ઈફતારનું આયોજન અમારા દ્વારા કરવામાં આવે છે.