દાહોદના વણભોરી ગામેથી સગીરાનું લગ્નના ઈરાદે અપહરણ કરતાં ફરિયાદ

દાહોદ,દાહોદ તાલુકાના વણભોરી ગામનો યુવાન તેના જ ગામની અને તેનાજ કુટુંબની સોળ વર્ષીય સગીરાનું પત્ની તરીકે રાખવા અપહરણ કરી લઈ જઈ રાત્રી દરમ્યાન તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યાનું જાણવા મળ્યું છે.

વણભોરી ગામના વડખીયા ફળિયામાં રહેતા રાજુભાઈ બસુભાઈ વખળીયા ગત તા. 4-4-2023ના રોજ રાતે આઠેક વાગ્યાના સુમારે તેના ફળિયામાં રહેતી તેનાજ કુટુંબની 16 વર્ષ 2 માસની ઉમરની સગીરાનું પત્ની તરીકે રાખવા પ્રેમના પાઠ, ભણાવી, અપહરણ કરી લઈ જઈ રાત્રી દરમ્યાન તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધે અપહૃત સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે કતવારા પોલીસે વણભોરી ગામના વડખીયા ફળિયામાં રહેતા રાજુભાઈબસુભાઈ વડખીયા વિરૂધ્ધ ઈપીકો કલમ 363, 366, 376(2)(એન) તથા પોક્સો એક્ટ કલમ 4,6 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.