ગોધરા બીજેપી અનુસુચિત મોરચા દ્વારા ર્ડા. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ રેલી યોજી

ગોધરા,આજરોજ સંવિધાનના ઘડવૈયા, દલિતો ના શુભચિંતક મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકરની 132 મી જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતિ મોરચા દ્વારા ગોધરા ખાતે બહારપુરા માતાજીના મંદિર પાસેથી ડી.જે. અને ઢોલ નગારા સાથે જય ભીમના જય ઘોષ સાથે ફટાકડા ફોડી વાજતે ગાજતે ભવ્ય રેલી કાઢી ગોધરા શહેરના વિશ્રામ ગૃહ પાસે આવેલ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ અશ્ર્વિનભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ, મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, શહેર પ્રમુખ દિલીપભાઈ દસાડીયા, હિતેશભાઈ ભટ્ટ, મોરચાના પ્રમુખ નારણભાઈ પરમાર, શોભાયાત્રાના સંયોજક જયેશકુમાર ચૌહાણ, સોશિયલ મીડિયાના અરવિંદભાઈ સોલંકી, સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મોરચાના કાર્યકર્તાઓ તેમજ દલિત સમાજના આગેવાનો, માતાઓ, યુવાનો જોડાયા હતા.