ભારત ફ્રાન્સ પાસેથી વધુ ૧૧૪ રાફેલ જેટ ખરીદશે, ૯૦ ભારતમાં જ બનાવવામાં આવશેઃ રિપોર્ટ

ભારતીય વાયુસેનાને મજબૂત બનાવવા માટે ભારત હવે વધુ રાફેલ ફાઇટર જેટ ખરીદશે. ભારતે ૧૧૪ રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે લેટર ઓફ રિકવેસ્ટને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ પગલું વાયુસેનાના કાફલાને મજબૂત કરવા અને ફાઇટર વિમાનોની અછતને દૂર કરવાની ભારતની લાંબા સમયથી પડતર યોજનામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૧૪ વિમાનોમાંથી લગભગ ૯૦ વિમાનો ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશન અને એક ભારતીય કંપની વચ્ચે ભાગીદારી દ્વારા ભારતમાં બનાવવામાં આવશે. બાકીના વિમાનો ઉડાન ભરેલી સ્થિતિમાં આવશે.

એલઓઆરએ એક ઔપચારિક સરકારી દસ્તાવેજ છે જેનો ઉપયોગ વિદેશી લશ્કરી વેચાણ અથવા આંતર-સરકારી કરાર હેઠળ ખરીદી પ્રક્રિયા શરૂ કરવા માટે થાય છે. તેમાં જરૂરી ક્ષમતાઓ, જથ્થા અને તકનીકી વિશિષ્ટતાઓની વિગતો આપવામાં આવી છે. સંરક્ષણ સંપાદન પરિષદે ત્રણ મહિના પહેલા રાફેલ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેના પગલે એલઓઆર તૈયાર કરવામાં આવ્યો હતો.

ફ્રાન્સ દ્વારા કિંમત, ઉપલબ્ધતા અને લોજિસ્ટિકલ સપોર્ટ અંગે વિગતવાર માહિતી પ્રદાન કર્યા પછી, ભારત ઔપચારિક રીતે દરખાસ્ત માટે વિનંતી જારી કરશે. બંને દેશો વચ્ચેની વાટાઘાટો પછી, સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ કરાર પર હસ્તાક્ષર થાય તે પહેલાં અંતિમ કરારને મંજૂરી આપવી પડશે. સરકાર આ વર્ષના અંત સુધીમાં કરાર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે.

એ નોંધવું જાઈએ કે આ રાફેલ ખરીદી એવા સમયે થઈ છે જ્યારે ભારતીય વાયુસેનાના વડા એ.પી. સિંહ આવતા મહિનાની શરૂઆતમાં ફ્રાન્સની મુલાકાત લેવાના છે. જૂનના અંતમાં પીએમ મોદી ફ્રાન્સની મુલાકાત લે તેવી પણ અપેક્ષા છે. ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ ૩૬ રાફેલ ફાઇટર જેટ છે. ભારતીય નૌકાદળ આગામી થોડા વર્ષોમાં એરક્રાફ્ટ કેરિયર ઓપરેશન્સ માટે ૨૬ રાફેલ-એમ વિમાનોને સામેલ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે.