વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો.

  • વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ 
  • ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ 
  • શોભાયાત્રા સમયે રામજીની મૂર્તિ પર પથ્થરમારો 

વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં પોલીસનો મોટો કાફલો સ્થળે દોડી આવ્યો છે.દેશભરમાં આજે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં વડોદરામાં શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે.રામનવમીની ભગવાન શ્રીરામની શોભાયાત્રા ફતેપુરા વિસ્તારમાંથી નીકળતા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક અસમાજિક તત્વોએ ભગવાન રામની મૂર્તિ પર પથ્થરમારો કરીને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.