શ્રીલંકા ભારત પાસેથી ૧ અબજ ડોલરની લોન માંગે છે, રોજબરોજની જરૂરી ચીજવસ્તુઓ ખરીદશે

કોલંબો,શ્રીલંકા ખોરાક અને દવા સહિત આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે ભારત પાસેથી એક અબજ ડોલરની નવી અસ્થાયી ક્રેડિટ સુવિધા માંગશે. શ્રીલંકાના સત્તાવાર મીડિયાએ સોમવારે આ માહિતી આપી. શ્રીલંકાને તેની આર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ તરફથી ઇં૩૩૩ મિલિયનનું પ્રોત્સાહન પેકેજ મળ્યું છે. મોનેટરી ફંડના ત્રણ અબજ ડૉલરના સ્ટિમ્યુલસ પેકેજનો આ પહેલો હપ્તો છે. આનાથી દેશને અન્ય પાર્ટનર દેશો પાસેથી પણ આર્થિક મદદ મળશે.

સત્તાવાર ડેઈલી ન્યૂઝ અખબારે અહેવાલ આપ્યો છે કે શ્રીલંકાના નાણા મંત્રાલયના અધિકારીઓએ તેમના ભારતીય સમકક્ષો સાથે દેશ માટે આવશ્યક ખોરાક, દવા અને અન્ય સામાન ખરીદવા માટે ઇં૧ બિલિયનની નવી અસ્થાયી સુવિધા મેળવવા માટે સંમત થયા છે.

દરમિયાન, સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. ઈન્દ્રજીત કુમારસ્વામીએ સેન્ટ્રલ બેંકના સેન્ટર ફોર બેંકિંગ સ્ટડીઝ દ્વારા આયોજિત ચર્ચામાં જણાવ્યું હતું કે, … ભારતીય રૂપિયાના સ્વેપને સુરક્ષિત કરવા માટે રિઝર્વ બેંક પણ વાતચીત કરી રહી છે. છે. રકમ હજુ પણ અનિશ્ર્ચિત છે અને તે એક અબજ ડોલર જેટલી ઊંચી હોઈ શકે છે. તેના પર હજુ કામ ચાલી રહ્યું છે. આનાથી શ્રીલંકા-ભારત વેપારને વેગ મળવાની અપેક્ષા છે, ડેઈલી મિરર અખબાર દ્વારા વરિષ્ઠ અર્થશાસ્ત્રી ટાંકવામાં આવ્યું હતું.