જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.27 એપ્રિલના રોજ સવારે 11:00 કલાકે,તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.26 એપ્રિલના રોજ સવારે 11:00 કલાકે યોજાશે

મહિસાગર,

મહિસાગર જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે મુખ્યમંત્રી ધ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ર્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કાર્યોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થયો હોય તેવા કાર્યોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લાના તમામ તાલુકા માટે એપ્રિલ-2023 નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.26/04/2023 બુધવારના રોજ સવારે 11:00 કલાકે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.27/04/2023ને ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે યોજવાનો હોય માહે એપ્રિલ -2023 માં જિલ્લા અને તાલુકાઓમાં વર્ગ -1 કક્ષાના અધિકારીઓ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્ર્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે,

ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો/ રજુઆત અંગેની અરજી “મારી અરજી તાલુકા અથવા જિલ્લા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ સંબંધિત ગામનાં તલાટી/ મંત્રીને સંબોધીને 1 થી 10 તારીખ સુધીમાં આપવાની રહેશે. તા.10/04/2023 સુધીમાં મળેલ અરજીને તાલુકા તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમાં સમાવવામાં આવશે.

જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત / અંગત પ્રશ્ર્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ર્ન સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને કરેલી અરજીની નકલ સાથે સંબંધિત કચેરીને મોકલી આપવાની રહેશે. તેમ નિવાસી અધિક કલેકટર મહિસાગર-લુણાવાડા ની અખબારી યાદીમા જણાવેલ છે.