ગરબાડા તાલુકાનાં ટૂંકીવજુમાં વીજળી પડતા ઘાયલ થયેલી મહિલાના પતિને તંત્ર દ્વારા સહાયનો ચેક અપાયો

દાહોદ,

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકીવજુમાં વીજળી પડવાથી મહીલા ઇજાગ્રસ્ત થઈ હતી.ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામે અવકાશી વીજળી પડવાથી ખરાડ સુરેખાબેન કમલેશભાઈને ગંભીર ઇજા થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સારી થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. ઇજાના કિસ્સામાં સરકારના ધારા ધોરણ મુજબ રૂપિયા 12,700/- ની સહાય ઈજાગ્રસ્ત ખરાડ સુરેખાબેનના પતિ કમલેશભાઈને તાલુકા પંચાયત સભ્ય ખરાડ કાંતિભાઈ તેમજ તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ તેમજ વિસ્તરણ અધિકારી યોગેશ સંગાડા દ્વારા ચેક આપવામાં આવ્યો હતો.