સીંગવડના જામદરા ગામના 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

દાહોદ,

માનસીક અવસ્થતાનો શિકાર બને સીંગવડ તાલુકાના જામદરા ગામના પટેલ ફળિયાના 19 વર્ષીય લબરમુછીયા યુવાને કણજના ઝાડની ડાળીએ નાયલોનની દોરીથી ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યાનું જાણવા મળ્યું છે.

ગત તા. 29-3-2023ની રાજે સીંગવડ તાલુકાના જાદમદા ગામના પટેલ ફળિયાના 19 વર્ષીય નિલેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ ત્રણ ચાર દિવસથી માનસીક અવસ્થાનો શિકાર બની ગામમાં ફરતો હોઈ તેને ગામમાં આવેલ કણજના ઝાડની ડાળીએ નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ સંબંધે મરણજનાર નિલેશભાઈ લક્ષ્મણભાઈ પટેલના પિતા 42 વર્ષીય લક્ષ્મણભાઈ માનસીંગભાઈ પટેલે રંણધીકપુર પોલીસ સ્ટેશને લેખીત જાણ કરતા આ મામલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ગળે ફાંસો ખાઈ મોતને ભેટનાર નિલેશભાઈ પટેલની લાશનું પંચો રૂબરૂ પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે લાશને સીંગવડ સરકારી દવાખાને મોકલી આપી પોલીસે આ મામલે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.