ઘોઘંબાના રીંછવાણી ગ્રામ પંચાયત ના જાહેર સૌચાલય જાળવણી ના અભાવે ઉપયોગ વિહોણા

ઘોઘંબા,

ઘોઘંબા તાલુકાનાં રીંછવાણી ગામે સ્વચ્છતાના નામે બનાવેલા જાહેર સૌચાલય જાળવણીના અભાવે બિન ઉપયોગી થઈ ગયા છે નવીન ગ્રામપંચાયત કચેરીના પાછળના ભાગે બનાવવામાં આવેલા સૌચાલયના દરવાજા નળ કે પાણીના ઠેકાણા નથી મારૂ ગામ સ્વચ્છ ગામ ના મોટા મોટા સૂત્રો લખી સ્વચ્છતાના નામે ગ્રાન્ટ મેળવ્યા બાદ સૌચાલયો ભુતિયા જેવા ભાસે છે ગામની મહિલાઓ, દીકરીઓ તથા પુરૂષોએ જાહેરમાં શૌચક્રિયા કરવા માટે જવું પડે છે. ગામના મુખ્યમાર્ગો ઉપર ઉકરડાના ઢગલા દેખાય છે ગ્રામ પંચાયતમાં જાવ ત્યારે તલાટી કે સરપંચ મળતા નથી સરપંચ મંદિરના કમ્પાઉન્ડમાં પોતાની ખાનગી ઓફિસ ખોલીછે જ્યારે કોઈ સરપંચના કામે જાય ત્યારે સરપંચ મંદિરે બેઠેલા છે ત્યાં જઈને મળો તેવા જવાબો આપવામાં આવેછે સરકાર દ્વારા ઘરે ઘરે જાજરૂ તથા ગ્રામજનોની સુવિધા તથા બહેન દીકરીની ઇજ્જત આબરૂ સાચવવા માટે લાખો રૂપિયા ગ્રાન્ટ જાહેર સૌચાલયો માટે ફાળવેછે ત્યારે રીંછવાણી ગામનું કોઈ રણીધણીના હોય તેવા પરિબળો સર્જાયા છે એક ગ્રામજને જણાવ્યુ હતું કે અમારા સરપંચ તથા તલાટીને મલાઈદાર કામો જેવાકે રોડ, ચેકડેમ, નાળા જેમાં વધુ નફો મળે તેવા કામોમાં રસ છે બાકી ગામ તો ભગવાન ભરોસે છે.