અમૃતપાલની પત્નીના બબ્બર ખાલસા સાથેના સંબંધ, સંબંધીઓના બેંક ખાતાની પોલીસ તપાસ કરી રહી છે

  • અમૃતપાલે ઈંગ્લેન્ડથી પરત આવેલી કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા છે,

ચંડીગઢ,સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાન તરફી અલગતાવાદી ભાગેડુ અમૃતપાલ સિંહ અને તેની પત્ની કિરણદીપ કૌરના બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથેના સંબંધોની તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ્સમાં જાણવા મળ્યું છે કે બ્રિટનમાં પોલીસે ખાલિસ્તાન તરફી કાર્યર્ક્તા અવતાર સિંહ ખંડાની ત્રિરંગાનું અપમાન કરવા બદલ ધરપકડ કરી છે. જેણે ભૂતકાળમાં લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર હોબાળો મચાવ્યો હતો. ખંડા વિશે એવી માહિતી સામે આવી છે કે તે આતંકવાદી પરમજીત સિંહ પમ્માનો સાથી છે અને તેણે જ અમૃતપાલને આઇએસઆઇ દ્વારા તાલીમ આપી હતી.

અમૃતપાલે ઈંગ્લેન્ડથી પરત આવેલી કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા છે, તેથી એજન્સીઓને શંકા છે કે તેની પત્ની પણ ખંડા અને બીકેઆઇ સાથે સંબંધ ધરાવે છે. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે તપાસ એજન્સીઓ ઈન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરાયેલા ઘણા વીડિયોની તપાસ કરી રહી છે. જેમાં દીપ સિદ્ધુના વારસાને આગળ વધારવાની વાત કરી રહ્યા છે.

અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે, ખંડાએ માત્ર અમૃતપાલને પંજાબ આવવા માટે જ તૈયાર નથી કર્યું, પરંતુ તેને વારિસ પંજાબ દે સંગઠનનો વડા બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે અમૃતપાલને કહ્યું હતું કે આગળ શું કરવું. અમૃતપાલ અને તેના સાથીઓએ વિદેશમાંથી ફંડિંગ મેળવ્યું છે અને હવાલા દ્વારા પૈસા પણ મળ્યા છે, તેથી હવે પોલીસ અમૃતપાલના પરિવાર પાસે તેના અને કાકા હરજીત સિંહના બેંક ખાતાની વિગતો પણ ચકાસી રહ્યાં છે.

અમૃતપાલના અન્ય નજીકના મિત્રોના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે અને એ જાણવા માટે કે આ લોકોને કયા દેશોમાંથી ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે અમૃતપાલ દુબઈમાં ટ્રક ચલાવતો હતો અને તે દરમિયાન તેની બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના સભ્યો સાથે મિત્રતા થઈ હતી. આ પછી, આતંકવાદી પરમજીત સિંહ પમ્માના કહેવા પર, ખંડાએ તેને જ્યોજયામાં આઇએસઆઇ દ્વારા તાલીમ અપાવી અને તેના માટે ભંડોળની વ્યવસ્થા કરી.

યુકે અને કેનેડા સહિતના કેટલાક અન્ય દેશોના ખાલિસ્તાન સમર્થકોએ અમૃતપાલને આથક મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું. અમૃતપાલ પંજાબ આવ્યો અને તેની પ્રવૃત્તિઓ શરૂ કરી અને ગયા મહિને લગ્ન કરી લીધા. લગ્ન ગુપ્ત રાખવામાં આવ્યા હતા. અમૃતપાલની પત્ની કિરણદીપ કૌર અંગે તપાસ એજન્સીઓને શંકા છે કે લગ્ન પહેલા પણ કિરણદીપ કૌર વારિસ પંજાબ દે સંસ્થાને ફંડિંગ કરતી હતી.