દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકાના કારણે શકરપુર વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ

  • કેજરીવાલે ટ્વીટ કર્યું કે સમગ્ર દિલ્હી એનસીઆરમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા. હું આશા રાખું છું કે તમે બધા સુરક્ષિત છો.

નવીદિલ્હી,

દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકાના કારણે શકરપુર વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. દિલ્હી ફાયર સવસે કહ્યું કે તેમને બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળી છે. ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે નીકળી ગઈ હતી.દિલ્હી,એનસીઆર સહિત લગભગ સમગ્ર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા.દિલ્હી NCR માં હમણાં જ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા ખૂબ જ તીવ્રતાવાળા હતા. ભૂકંપના આંચકા અનુભવતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર આવી ગયા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૭ માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી જશે. સવારે લગભગ ૧૦.૧૭ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ભયાનક આંચકા ત્યારે અનુભવાયા જ્યારે મોટાભાગના લોકો રાત્રિભોજન પછી સૂવાની અથવા આરામ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આંચકા બાદ લોકોમાં બેચેની વધી ગઈ હતી. ઘણા લોકો શેરીઓ અને ઉદ્યાન તરફ દોડવા લાગ્યા. ભૂકંપનો આ તાજેતરનો આંચકો એટલો જોરદાર હતો કે જે લોકો ઘર, દુકાન, બજાર કે શેરીમાં હતા, તેઓએ ચોક્કસ અનુભવ્યું. હાલ લોકો ગભરાટમાં છે.

ભૂકંપ પછી, ફાયર વિભાગને દિલ્હીના શકરપુરમાં ઇમારત ઝુકાવવાનો કોલ આવ્યો હતો. શ્રીનગરમાં પણ કેટલાક મકાનોમાં તિરાડો પડી હોવાના અહેવાલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે સમગ્ર દિલ્હી એનસીઆરમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા. હું આશા રાખું છું કે તમે બધા સુરક્ષિત છો.પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિગસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ પર્વતોમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૭ માપવામાં આવી હતી.