શિવસેનાનું નામ અને ચિહ્ન મળ્યા બાદ પણ એકનાથ શિંદે જુથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું?

  • શિંદે કેમ્પને સાંભળ્યા વિના, કોઈ આદેશ પાસ કરવામાં ન આવે.

મુંબઇ,

રાજનૈતિક પાર્ટી શિવસેનાને લઈને ચાલી રહેલી ખેચતાણ પર ચૂંટણી પંચના આદેશના એક દિવસ બાદ એટલે કે શનિવારે એકનાથ શિંદે ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કર્યું. હવે ઉદ્ધવ ઠાકરેના કેમ્પ દ્વારા ચૂંટણી પંચના આદેશને પડકાર આપનારી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થવાની સ્થિતિમાં એકનાથ શિંદે કેમ્પને સાંભળ્યા વિના, કોઈ આદેશ પાસ કરવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચે શુક્રવારે આદેશ આપ્યો કે પાર્ટીનું નામ ’શિવસેના’ અને પાર્ટીનું ચિહ્ન ’ધનુષ અને બાણ’ એકનાથ શિંદે કેમ્પને ફાળવવામાં આવે.

તેના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ચૂંટણી પંચનો આ નિર્ણય, લોક્તંત્રની હત્યા છે. તેઓ ચૂંટણી પંચ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, જે કંઈ પણ થયું છે તે અભૂતપૂર્વ છે. આ લડાઈ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી, જ્યાં સુધી કોર્ટ કોઈ નિર્ણય ન કરે, ત્યાં સુધી કોઈ નિર્ણય ન લે. તેનાથી જ તેમની આશા હતી. તેમની પાસે લોકોનો જનાદેશ હોવો જોએ, બંને પક્ષોને સાંભળવા અનિવાર્ય છે. ચૂંટણી પંચે સુનાવણી કરવી જોઈએ.

આ ભારતીય લોક્તંત્રની હત્યા છે. મને લાગે છે કે, થોડા મહિનાઓની અંદર બીએમસી ચૂંટણી સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે અને તમે જે કર્યું તેનો લોકો બદલો લેશે. અમારું ચિન્હ ચોરી લીધું છે, પરંતુ અસલી ધનુષ-બાણ અમારી પાસે રહેશે અને અમે તેની પૂજા કરતા રહીશું. અમે ચૂંટણી પંચ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઇ રહ્યા છીએ. આદેશમાં ચૂંટણી આયોગે જોયું કે શિવસેનાનું વર્તમાન સંવિધાન ‘અલોક્તાંત્રિક’ છે. કોઈ પણ ચૂંટણી વિના પદાધિકારીઓના રૂપમાં એક મંડળીના લોકોને અલોક્તાંત્રિક રૂપે નિમણૂક કરવા માટે તેને વિકૃત કરી દેવામાં આવે. ચૂંટણી પંચે કહ્યું કે, આ પ્રકારની પાર્ટી સંરચના વિશ્ર્વાસને પ્રેરિત કરવામાં નિષ્ફળ રહે છે.

ચૂંટણી પંચે જોયું કે, શિંદે કેમ્પનું સમર્થન કરનારા ૪૦ ધારાસભ્યોએ કુલ ૪૭,૮૨,૦ વૉટોમાંથી ૩૬,૫૭,૩૨૭ વોટ હાંસલ કર્યા છે એટલે કે ૫૫ જીતેલા ધારાસભ્યોના પાક્ષ નાખવામાં આવેલા વૉટોના ૭૬ ટકા છે. તે ૧૫ ધારાસભ્યો દ્વારા પ્રાપ્ત ૧૧, ૨૫,૧૧૩ વોટો વિરુદ્ધ છે, જેના સમર્થનનો દોવો ઠાકરે ગ્રુપે કર્યો છે. તો ૯૦,૪૯,૭૮૯ની તુલનામાં વર્ષ ૨૦૧૯માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના દ્વારા નાખવામાં આવેલા વોટ (હારનારા ઉમેદવાર સહિત) અરર્જીક્તાના સમર્થન કરનારા ૪૦ ધારાસભ્ય દ્વારા નાખવામાં આવેલા ૪૦ ટકા આવે છે, જ્યારે ઉત્તરદાતાઓનું સમાર્થન કરનારા ૧૫ ધારાસભ્યો દ્વારા નાખેલા વોટ આવે છે.

કુલ વોટ માત્ર ૧૨ ટકા છે. બીજી તરફ શિંદે કેમ્પનું સમર્થન કરનારા ૧૩ સાંસદોએ કુલ ૧,૦૨,૪૫,૧૩ વૉટમાંથી ૭૪,૮૮,૬૩૪ વોટ હાંસલ કર્યા હતા એટલે કે લોક્સભાની ચૂંટણી ૨૦૧૯માં ૧૮ સાંસદોના પક્ષમાં પડેલા વૉટના ૭૩ ટકા હોય છે. તે ઠાકરે કેમ્પનું સમર્થન કરનારા ૫ સાંસદો દ્વારા મળેલા ૨૭,૫૬,૫૦૯ વોટ વિરુદ્ધ છે. ઠાકરે કેમ્પ ૨૭ ટકા વોટ હાંસલ કરી શક્યો.