દાહોદ,
દાહોદ શહેરના પ્રસારણ નગર ખાતે અનિલસિંહ માધુસિંહ જાદવ (રહે. જાલત, તા.જિ. દાહોદ) નાની અને પ્રસારણ નગર ખાતે રહેતાં અન્ય એક વ્યક્તિ મળી બંન્ને વ્યક્તિઓએ પોત પોતાની મોટરસાઈકલ આ વિસ્તારમાં લોક મારી પાર્ક કરી હતી. ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બંન્ને મોટરસાઈકલોનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે અનિલસિંહ માધુસિંહ જાદવે દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.