ભાજપ પોતાના જ ગઢમાં કેમ હાર્યું, હેટ્રિકનું સપનું કેવી રીતે ચકનાચૂર થયું, ભાજપ-શિંદે ગઠબંધન માટે શું સંદેશ?

મુંબઇ,

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ પછી, એકનાથ શિંદે જૂથ દ્વારા ગયા વર્ષે જૂનના અંતમાં રચાયેલી શિવસેના અને ભાજપ સરકાર તેની પ્રથમ ચૂંટણી પરીક્ષણમાં નિષ્ફળ રહી છે. વિધાન પરિષદની પાંચ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં આ ગઠબંધન માત્ર એક બેઠક જીતી શક્યું હતું. ભાજપને સૌથી વધુ નુક્સાન તેના જ ગઢમાં થયું છે. નાગપુરથી તેના બે વખતના ધારાસભ્ય નાગો ગારરને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

નાગપુર ટીચર્સ એમએલસી સીટ પર ગરાર માટે જીતની હેટ્રિક ફટકારવાનો ભાજપને વિશ્ર્વાસ હતો કારણ કે તે સીટીંગ ધારાસભ્ય હતા, પરંતુ મહાવિકાસ આઘાડીના ઉમેદવાર સુધાકર અદાબેલે આ સીટ જીતી લીધી છે. નાગપુર એ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો મતવિસ્તાર છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય છે.

આ ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીએ પાંચમાંથી ત્રણ બેઠકો જીતી છે, જ્યારે સત્તાધારી ભાજપ-શિંદે જૂથ ગઠબંધન માત્ર એક બેઠક જીતવામાં સફળ રહ્યું છે. નાસિકથી અપક્ષ ઉમેદવાર સત્યજીત તાંબે જીત્યા છે. કોંગ્રેસ સામે ઉમેદવારી નોંધાવવા બદલ તાંબાને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેણે તેના આગામી પગલાની જાહેરાત કરી નથી.

મહાવિકાસ આઘાડીના ઉમેદવાર અદાબેલે એમ કહીને સનસનાટી મચાવી દીધી છે કે તેમની જીત પાછળ દેવેન્દ્ર ફડણવીસનો હાથ છે. હકીક્તમાં, ફડણવીસે જૂના પેન્શન યોજના પર થોડા દિવસો પહેલા વિધાનસભામાં કહ્યું હતું કે તેમની સરકારને જૂની પેન્શન લાગુ કરવાનો કોઈ વિચાર નથી. માનવામાં આવે છે કે તેમના નિવેદનથી સરકારી કર્મચારીઓ નારાજ થયા છે. આ ચૂંટણીમાં શિક્ષકો જ મતદાતા હોવાથી શિક્ષક સમુદાય ફડણવીસની જૂની પેન્શન પુન:સ્થાપિત કરવાની જાહેરાતથી નારાજ હતો.

આ ઉપરાંત ભાજપની અંદરની જૂથબંધીને પણ આ હારનું કારણ માનવામાં આવી રહ્યું છે. નાગપુરમાં ભાજપની એક છાવણી નીતિન ગડકરીની અને બીજી કેમ્પ દેવેન્દ્ર ફડણવીસની હોવાનું મનાય છે. આ હાર પાછળ બંને જૂથનો આંતરિક વિખવાદ પણ સામેલ હોવાનું મનાય છે. આ હાર માટે પ્રદેશની ઓબીસી જ્ઞાતિ રચના (તેલી, માલી અને કુણબી) પણ જવાબદાર છે. તેલી ભાજપના કટ્ટર સમર્થક છે, જ્યારે અન્ય બે જાતિઓ તેના વિરોધી છે. અદાબેલે માળી જ્ઞાતિના છે.

વિદર્ભ પ્રદેશને ભાજપનો ગઢ કહેવામાં આવે છે. ત્યાંથી ભાજપની હાર ચિંતાજનક છે કારણ કે આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભા અને લોક્સભાની ચૂંટણી પણ થવાની છે. આવી સ્થિતિમાં, એક સંદેશ જઈ શકે છે કે રાજ્યમાં ભાજપની પકડ, ખાસ કરીને તેના પોતાના ગઢમાં, નબળી પડી છે અને લોકોએ એકનાથ શિંદે-ભાજપ સરકારને નકારી કાઢી છે. વિદર્ભમાંથી કુલ ૧૦ લોક્સભા સીટો આવે છે. જેમાંથી ભાજપે ૨૦૧૯માં ૯ બેઠકો જીતી હતી.