ચીનને ભારતની તાકાત સારી રીતે ખબર છે, ૨૦૪૭ સુધીમાં ભારત વિશ્ર્વની ટોપ ઈકોનોમી બનશે

લખનૌ,

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચેલા ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક કંગાળી પર કહ્યું કે, પછી પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર હોય કે પાકિસ્તાન હોય ત્યાંની જનતા સુખી રહે, અમે હંમેશાં એ જ કામના કરીશું કેમ કે ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જેણે ભારતની સીમામાં રહેતા લોકોને પોતાના જ પરિવારના સભ્ય માન્યા છે, પરંતુ આખા વિશ્ર્વની પટલ પર રહેનારા લોકોને પરિવારના સભ્ય માનતા વસુધૈવ કુટુંબકમ એ સંદેશ આપનારો ભારત છે.

તેની સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કામના કરી કે કરવામાં સંર્દ્ભ હોય કે પાકિસ્તાન હોય કોઇ સંકટમાં ન રહે, બધા સુખી થાય. કોઇ ભૂખથી, તરસથી દમ તોડી ન દે, એવી સ્થિતિ ઉત્પન્ન ન થઇ શકે એ જ અમે કામના કરીશું. તેની સાથે જ ચીનના વારંવાર ભારતને આંખ દેખાડવાના સવાલ પર તેમણે કહ્યું કે, તેને ભારતની તાકાત સારી રીતે ખબર છે. મારે આ સંબંધમાં કોઇ ટિપ્પણી કરવાની જરૂરિયાત નથી. ભારત આજે દુનિયાની ટોપ-૫ અર્થવ્યવસ્થામાં પહોંચી ચૂક્યું છે.

અર્થવ્યવસ્થાના જાણકાર એ માનવા લાગ્યા છે કે વર્ષ ૨૦૨૭ સુધી ભારત દુનિયાના ટોપ-૩ અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે પ્રકારે દેશ આગળ વધી રહ્યો છે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિશ્ર્વની ટોપ અર્થવ્યવસ્થા બની જશે. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહે પ્રયાગરાજમાં પશ્ર્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર દિવંગત કેશરી નાથ ત્રિપાઠીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, પંડિત કેશરી ત્રિપાઠીને હું મોટા ભાઇના રૂપમાં જોતો હતો. તેમની યોગ્યતા અને પ્રતિભા ક્ષમાતાથી આખો દેશ સારી રીતે પરિચિત છે અને તેમના નિધનથી આખા દેશમાં અપૂણય ક્ષતિ થઇ છે.

રાજનાથ સિંહ પૂર્વ રાજ્યપાલ કેશરીનાથના બેસણામાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. રાજનાથ સિંહ લગભગ એક કલાક સુધી લોહિયા માર્ગ સ્થિતિ પૂર્વ રાજ્યપાલના આવાસ પર રહ્યા હતા. તેમણે કેશરીનાથન ફોટો પર પુષ્પ અપત કર્યા બાદ તેમના પુત્ર નીરજ ત્રિપાઠી, પુત્ર વધુ કવિતા યાદવ ત્રિપાઠીને મળીને તેમનું મનોબળ વધાર્યું. રાજનાથ સિંહે કેશરીનાથ ત્રિપાઠી સાથે વિતાવેલી પોતાની પળોને યાદ કરી. સેનાના વિમાનથી પ્રયાગરાજ પહોંચ્યા હતા.