ૠષભ પંતની જગ્યા પર ડેવિડ વોર્નરને દિલ્લી કેપિટલ્સની કેપ્ટનશીપ મળી શકે છે

નવીદિલ્હી,

સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન ૠષભ પંતની ઈજાના કારણે આગામી આઇપીએલ સીઝનમાં દિલ્લીને લાગી શકે છે મોટો ઝટકો. પંતના હોવાના કારણે દિલ્લીની કેપ્ટનશીપની જવાબદારી આ ખેલાડીને અપાઈ શકે છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ૠષભ પંત હોસ્પિટલમાં દાખલ છે. ઉત્તરાખંડના રૂરકી પાસે કાર અકસ્માતમાં તેને ઘણી ઈજા થઈ હતી. જો કે પંત કોઈપણ પ્રકારના જોખમમાં નથી. પરંતુ તેને મેદાનમાં પરત ફરવામાં ઘણો સમય લાગી શકે છે. જો કે તેનું આઇપીએલ આગામી સીઝનમાં રમવું તે લગભગ શક્ય નથી.

ૠષભ પંતની ઈજાના કારણે પોતાના પ્રથમ આઇપીએલ ટાઈટલની શોધમાં રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પંતે ન માત્ર ટીમની કેપ્ટનશીપ સંભાળી પરંતુ તે વિકેટકીપર તરીકે પણ રમ્યો છે. હવે તેના માટે આઇપીએલ સુધી મેચ ફીટ રહેવુ શક્ય નથી.આઇપીએલની આગામી સીઝન માર્ચ-જૂનમાં રમાવાની છે. આવી સ્થિતિમાં પંતની ગેરહાજરીને કારણે દિલ્લીએ માત્ર વિકેટ કીપર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ કેપ્ટન તરીકે પણ કોઈ અન્યને જવાબદારી સોંપવી પડશે.

પંતની ગેરહાજરીમાં દિલ્લી ડેવિડ વોર્નરને બનાવી શકે છે કેપ્ટન. પંત લિગામેન્ટની ઈજાને કારણે તે ઓછામાં ઓછા ૬ મહિના સુધી મેદાનથી દૂર રહી શકે છે. હવે માનવામાં આવી રહ્યું છે કે ડેવિડ વોર્નર આઇપીએલમાં દિલ્હીની કપ્તાની સંભાળશે. તેની પાસે આઈપીએલમાં હૈદરાબાદની કેપ્ટનશિપનો અનુભવ પણ છે.

આઇપીએલમાં પહેલી સદી ફટકારનાર ભારતીય ખેલાડી મનીષ પાંડેને પણ દિલ્લીની કેપ્ટનશીપ મળી શકે છે. પરંતુ હાલમાં તેને ઓક્શનમાં લેવામાં આવ્યો હોવાથી કેપ્ટનશીપ મળવાની શક્યતાઓ ઓછી છે. પણ પંતની ઈજાની અપડેટના આધારે દિલ્લી નિર્ણય કરશે.