કોરોના આવે છે, માસ્ક પહેરો આ બધા મને રોકવાના ભાજપના બહાના છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી,

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવારે હરિયાણાના નૂંહમાં મોદી સરકાર પર નિશાન સાયુ હતું. તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના પત્ર પર પણ પ્રતિક્રિયા આપી છે. રાહુપલ ગાંધીએ કહ્યું કે, મને પત્ર લખવામાં આવ્યો કે, યાત્રા બંધ કરો કોવિડ આવી રહ્યો છે. પરંતુ તે યાત્રા રોકવા માટેનું બહાનું છે. તેમણે કહ્યું કે, તમે ગમે તેટલો પ્રયત્ન કરો અમે તૂટવાના નથી.

કોંગ્રેસ સાંસદે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભારત ડરપોક દેશ નથી અને તે કોઈનાથી ડરતો નથી. તેમણે કહ્યું કે, અમે દેશને તૂટવા નહીં દઈશું. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો હરિયાણામાં અમારી સરકાર આવશે તો અમે તમામ કામ કરીને બતાવીશું.

રાહુલ ગાંધીએ ફરી એકવખત માઈક ઓફ કરવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, હું જ્યારે લોક્સભામાં બોલવા જાઉં છું ત્યારે મારો માઈક ઓફ કરી દેવામાં આવે છે. કોંગ્રેસ સાંસદે મોંઘવારી મુદ્દે પણ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, તમે લોકો મોદીજી સાથે મોંઘવારી અને બેરોજગારી અંગે વાત કરો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જો કોઈ નરેન્દ્ર મોદીની સામે ઊભું હોય તો નરેન્દ્ર મોદી તેમનો મુકાબલો નથી કરી શક્તા અને ભાગી જાય છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ક્યારેય પ્રેસ કોન્ફરન્સ નથી કરતા. ઇજીજી અને બીજેપીના લોકો ગરીબ અને ખેડૂતોથી ડરે છે.