
ઘોઘંબા,
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગોઠ બેસણા ફળિયાનો રોડ એક ખેડૂતની દરમ્યાનગીરીને કારણે 162 મીટરનો રસ્તો અધૂરો રહી જવા પામ્યો છે. વર્ષો થી ચાલતા ખેતરની સીમા વિવાદના કારણે આ રસ્તો સળંગ બની શક્યો નથી. આ વિવાદને ટાળવા માટે ગ્રામજનો તથા આજુબાજુના ખેતર માલિકો એ જમીનનું સરવ્યૈુ પણ કાઢવામાં આવ્યું છે. જેમાં રોડ અટકાવાની મુખ્ય ભૂમિકા ભજવતા અજીજ બલોચ નામના ખેડૂતને આ જમીનનું વળતર પણ સરકાર દ્વારા ચૂકવી દીધેલ છે, તેમજ આ જમીન સરવૈયું કડાવતા આ જમીન ખેડૂતની માલિકીમાં આવતી નથી, છતાં પણ વિકાસના કામમાં રોડા નાંખી આ રસ્તો બનવા દેતા નથી. આજ રોજ આ રસ્તો બનાવવા માટે માર્ગમકાન વિભાગની ગાડીઓ માલ સામાન સાથે આ રોડ ઉપર પહોંચી હતી. ત્યારે વિવાદિત ગણાતો 162 મીટરના રસ્તા ઉપર તંત્રએ કોઈ કામ ગીરી હાથ ન ધરતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ગ્રામજનોએ આ રસ્તાનું કામ અટકાવી દીધું હતું અને પ્રથમ 162 મીટરના રસ્તા કામ ચાલુ કરી ત્યાર બાદ જ આખા રસ્તાનું કામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી હતી. ઘોઘંબા થી બેસણા ફળિયા સુધી 162 મીટરના રસ્તા સિવાય બીજુ કામ પણ અટકાવવામાં આવ્યું છે. સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો આ 162 મીટર નો અધૂરો રસ્તો ચોમાસામાં અનેક સમસ્યાઓ સર્જન કરે છે. કાદવ-કીચડના કારણે ગ્રામજનો થી વાહન લઈને નિકાળતું નથી. જેને લઈ 108 જેવી ઈમરજન્સી સેવાઓથી પણ ગ્રામજનો વંચિત રહી જાય છે. તેમજ શાળાએ આવતા જતા બાળકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખેતર માલિકના સીમમાં આ રસ્તો ન આવતો હોવા છતાં પણ ખેડૂતની આડોડાઈનો ભોગ ગ્રામજનો બની રહ્યા છે. 162 મીટર રોડની જમીન PWD ને સંપાદન કરી હોવા છતાં પણ સરકારી તંત્ર આ રસ્તા ઉપર રોડ બનાવવા માટે પાછી પાની કરી રહ્યું છે. ગ્રામજનો દ્વારા આ વિવાદિત જગ્યા ઉપર રસ્તાનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યાં છે.