ભાવનગરમાં હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી દદીનું મોત નિપજયું

ભાવનગર શહેરમાંથી તબીબીની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરની એક જાણીતી ખાનગી પરિવાર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉષાબા પ્રહલાદૃસહ ગોહિલ નામની મહિલાનું મોત થઈ જતાં ભારે હોબાળો મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે અને ન્યાયની માંગ સાથે મૃતદૃેહ સ્વીકારવાનો ઇક્ધાર કરી દૃીધો છે.

મળતી વિગતો અનુસાર ઉષાબા ગોહિલે ૧૨ દિવસ પૂર્વે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન ડો. મલય મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દૃીને રજા આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમની તબિયત સતત બગડી રહી હતી. અસહૃા દૃુખાવો અને અન્ય શારીરિક તકલીફોને કારણે પરિવાર િંચતામાં મુકાયો હતો.

ડોક્ટરની કથિત અવગણના રવિવારે ઉષાબાની તબિયત વધુ લથડી હતી, ત્યારે પરિવારજનો તેમને લઈને ડો. મલય મકવાણા પાસે પહોંચ્યો હતા. પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરે પરિસ્થિતિની ગંભીરતા સમજવાને બદૃલે તેને સામાન્ય દૃુખાવો ગણાવ્યો હતો. ડોક્ટરે યોગ્ય તપાસ કર્યા વિના અથવા તો ગંભીરતા લીધા વિના દદીને ઘરે પરત મોકલી દૃીધા હતા.

જ્યારે મહિલા દદીની હાલત અત્યંત નાજુક બની જતાં તેમને તાત્કાલિક ફરીથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ રહૃાા અને આજે સાંજે ઉષાબા ગોહિલનું કરૂણ મોત નિપજ્યું હતું. આ સમાચાર મળતા જ હોસ્પિટલ પરિસરમાં શોક અને રોષનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો રવિવારે ડોક્ટરે દદીને ગંભીરતાથી તપાસ કરી હોત અને સમયસર સારવાર આપી હોત, તો આજે ઉષાબા જીવિત હોત. તબીબની આ ઘોર બેદરકારી સામે રોષે ભરાયેલા સગા-સંબંધીઓએ જ્યાં સુધી જવાબદૃાર ડોક્ટર સામે કડક પગલાં ન લેવાય ત્યાં સુધી મૃતદૃેહ સંભાળવાનો સ્પષ્ટ નકાર કરી દૃીધો છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.