સિંધુ નદીનું પાણી પાકિસ્તાન નહીં જાય, દિલ્હી, હરિયાણા અને પંજાબને સીધો ફાયદો થશે,કેન્દ્રીય મંત્રી પાટીલ

કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે જયપુરમાં કહ્યું કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને આપવામાં આવશે નહીં. દેશના જળ સંસાધનોનો ઉપયોગ મુખ્યત્વે ભારતના લાભ માટે કરવામાં આવશે, અને સરકાર આ દિશામાં નક્કર પગલાં લઈ રહી છે.પાકિસ્તાન તરફ જતા પાણીને રોકીને વિવિધ રાજ્યોમાં વહેંચવામાં આવશે. દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોને આ પાણીનો સીધો ફાયદો થશે.

પાટીલે જણાવ્યું હતું કે પાકિસ્તાન તરફ જતા પાણીને વાળવા માટે એક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં, રાજસ્થાનમાં સૌથી ઓછું પાણી છે, પરંતુ ભવિષ્યમાં, તેની પાસે સૌથી વધુ પાણી હશે.

જલ જીવન મિશનની ચર્ચા કરતા તેમણે કહૃાું કે દૃરેક ઘરને પાણી પૂરું પાડવાની જવાબદૃારી રાજ્યોની છે. જો કે, પહેલીવાર, કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ રાજ્યોને ૫૦ ટકા નાણાકીય સહાય પૂરી પાડી છે.

આ મિશન સંબંધિત ચાર હજારથી વધુ ફરિયાદૃો મળી છે, અને તેની તપાસ માટે ૧૧૯ ટીમો બનાવવામાં આવી છે. રાજસ્થાનના ભૂતપૂર્વ મંત્રી સહિત ગુનેગારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.