ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વમાં બે બાળકો સાથે માતાએ અગમ્ય કારણોસર કૂવામાં મોતનો ભૂસ્કો મારતા ત્રણેયના મોત.

પ્રતીકાત્મક તસ્વીર
  • આજરોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં ખેતરમાં જવાનું કહીને એક ચાર વર્ષની પુત્રી તથા બે વર્ષના પુત્ર સાથે નીકળેલી માતાએ કુવામાં મોતની છલાંગ લગાવી.
  • પાણી ભરેલા ઊંડા કૂવા માંથી ઝાલોદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાશોને બહાર કઢાઈ.

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં દિન-પ્રતિદિન ચિત્ર વિચિત્ર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તેમાં વધુ એક બનાવ આજરોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામે ખેતરમાં જવાનું કહી બે સંતાનો સાથે નીકળેલી માતાએ કોઈ અગમ્ય કારણોસર પાણી ભરેલા ઊંડા કૂવામાં મોતનો ભૂસકો લગાવતા બે સંતાનો સહિત માતાનું મોત નીપજતા પંથકમાં હાહાકાર સાથે પરિવારમાં રોકકળ મચી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.

રિપોર્ટર : સંજય કલાલ ફતેપુરા