મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહયો છે ત્યારે નેતાઓની નિયમો પ્રત્યે બેદરકારી જોવા મળી

બાલાસીનોરમાં જાહેર સભામાં માસ્ક વગરના નેતાના ફોટા સામે આવ્યા છે અમુલ ડેરી આણંદ નિયામક મંડળની ચૂંટણીમાં રાજેશભાઇ પાઠક વિજયી થતા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો પરંતુ કોરોના નિયમોની ઐસીતૈસી જોવા મળી હતી એક બાજુ કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠક વિજય સમારંભ યોજવામાં આવ્યો હતો બાલાસીનોરના રળિયાતા ખાતે યોજાયેલ સમારંભમાં બાળકોથી માંડીને તમામ લોકો આવ્યા હતા. બાલાસિનોર ભાજપ પ્રમુખ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા રાજેશભાઇ પાઠકથી માંડીને તમામ લોકો માસ્ક વગર અને સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા ત્યારે શુ નેતાઓ માટે કોરોનાને લઈને કોઈ નિયમ પાળવા જરૂરી નથી.

Don`t copy text!