રામલીલામાં ‘રામ’ને હાર્ટ એટેક આવ્યો : પાત્ર ભજવતા અચાનક છાતીમાં દુખાવો થયો, ચાલુ કાર્યક્રમમાં જય શ્રીરામ બોલ્યા ને ઢળી પડ્યા

દિલ્હીના શાહદરા વિસ્તારમાં નવરાત્રિના અવસર પર રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા અભિનેતાને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ સુશીલ કૌશિક તરીકે થઈ છે, જે વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો. સુશીલ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે સુશીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે અને પરફેક્ટ ડાયલોગ્સ બોલી રહ્યો છે. ભગવાન રામ કોઈને પ્રાર્થના કરી રહ્યા હોય છે એટલામાં તેમના હૃદયમાં દુખાવો થાય છે અને તેઓ તેમના હૃદય પર હાથ રાખે છે. અચાનક તે સ્ટેજ પરથી પાછા જતા રહે છે.

સ્ટેજ પર જ હાર્ટ એટેક આવ્યો

પોલીસના જણાવ્યા અનુસાર સુશીલ કૌશિકને સ્ટેજ પર જ હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 45 વર્ષીય સુશીલ કૌશિક વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતા, પરંતુ તે ભગવાન રામનો ભક્ત હતો અને રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવતો હતો.

કલાકાર શાહદરાના વિશ્વકર્મા નગરનો રહેવાસી હતો

દિલ્હી પોલીસે જણાવ્યું કે સ્વર્ગસ્થ એસકે કૌશિકના પુત્ર સુશીલ કૌશિક શાહદરાના વિશ્વકર્મા નગર વિસ્તારના શિવ ખંડનો રહેવાસી હતો. ભગવાન રામનું પાત્ર ભજવતી વખતે અચાનક જ હાર્ટ એટેક તેનું અવસાન થયું. આ રામલીલાનું આયોજન જય શ્રી રામલીલા વિશ્વકર્મા નગર દ્વારા કરવામાં આવી રહ્યું છે.