આજે ચોથું નોરતું :માતા કુષ્માંડાની પૂજા કરવાથી ભય દૂર થશે, રોગ અને શોકનું થશે શમન

આજે આસો નવરાત્રીનો ચોથો દિવસ છે. ત્યારે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાને આ સૃષ્ટિની સર્જક કહેવામાં આવે છે. તેમની સાત ભુજાઓ છે જેમાં અનુક્રમે કમંડલ, ધનુષ્ય, બાણ, કમળનું ફૂલ, કલશ, ચક્ર અને ગદા છે. બીજી તરફ તેમના આઠમા હાથમાં એવી માળા છે જે બધી સિદ્ધિઓ અને નવા ભંડોળ આપે છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો સંતાન ઈચ્છે છે તેમણે મા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ. માતા કુષ્માંડાની ઉપાસના કરવાથી ભક્તોના તમામ રોગો અને દુ:ખનો નાશ થાય છે. ચાલો જાણીએ નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, મંત્ર, વિધિ, ઉપભોગ અને આરતી.

કુષ્માંડા સ્વરૂપ

કુષ્માંડા નવ દેવીઓમાંથી ચોથો અવતાર માનવામાં આવે છે. માં કુષ્માંડાની આઠ ભુજાઓ હોય છે. જેને કારણે તેમને અષ્ઠભુજાના નામથી ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે માંના એક હાથમાં જપમાળા હોય છે. આ સાથે અન્ય સાત હાથમાં ધનુષ, બાણ, કમંડળ, કમળ, અમૃત પૂર્ણ કળશ, ચક્ર અને ગદા સામેલ છે.

કુષ્માંડા માહાત્મ્ય

કહે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે દેવી કુષ્માંડાએ જ બ્રહ્માંડની રચના કરી હતી. એટલે કે દેવી કુષ્માંડા જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ મા કુષ્માંડામાં જ છે. દેવી કુષ્માંડાના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ જ દેદીપ્યમાન છે. મા કુષ્માંડા અત્યંત ઓછી સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે. ચોથા નોરતે મા કુષ્માંડાનું આહ્વાન કરી તેમના મંત્રનો જાપ કરવામાં આવે છે.

માતા કુષ્માંડાની પૂજા વિધિ

માન્યતા પ્રમાણે માતાને નારંગી રંગ ખૂબ જ પ્રિય છે. તેથી માતા કુષ્માંડાની પૂજા નારંગી રંગના કપડા પહેરીને કરવી જોઈએ. માતા કુષ્માંડાની પૂજામાં તેમને લવિંગ, એલચી, વરિયાળી, કુમ્હડા એટલેકે પેઠા અર્પિત કરવું. આ સાથે માતાને કુમકુમ, મોલી, અક્ષત અર્પણ કરવા. માતાને એલજી અર્પણ કરતી વખતે ઓમ બું બંધાય નમ: મંત્રનો જાપ કરવો. એવું માનવામાં આવે છે કે, આ દિવસે બુધના મંત્રનો જાપ કરવાથી બુધ દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઓમ કુષ્માંડાયૈ નમ: આ મંત્રનો પણ 108 વાર જાપ કરવો. આ સાથે જ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો. અંતમાં માતાની આરતી કરી પ્રસાદ વહેંચવો.

મા કુષ્માંડા મંત્ર

  • બીજ મંત્રઃ कुष्मांडा: ऐं ह्री देव्यै नम:
  • પૂજા મંત્રઃ ॐ कूष्माण्डायै नम:
  • ધ્યાન મંત્રઃ वन्दे वांछित कामर्थे चन्द्रार्घकृत शेखराम्। सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्वनीम्॥

નૈવૈદ્ય

મા કુષ્માંડાની પૂજામાં તેમને માલપુઆનો નૈવૈદ્ય ધરાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુઆનો ભોગ ચઢાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. તેની સાથે જ નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસિત થાય છે. માતા કુષ્માંડાની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ સાથે જ ધન સંબંધિત સમસ્યા પણ સમાપ્ત થાય છે.

પૂજાથી ફળની પ્રાપ્તિ માતા કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના તમામ દુ:ખ-દર્દ દૂર થાય છે. આધી, વ્યાધિ જે પીડા હોય અથવા પૂર્વ જન્મ કોઈ પીડા હોય તેની સામે કુષ્માંડા દેવી તેની સામે રક્ષણ આપે છે. અનાહદ ચક્ર પણ વધારો થાય છે.એટલે કે તેની ઉર્જામાં પણ વધારો થાય છે.માતા કુષ્માંડાની પૂજા કરવાથી સાહસની સાથે સૌમ્યતા અને વિનમ્રતામાં વધારો થાય છે