રાજકોટમાં સામૂહિક આપઘાતનો બનાવ : એક સોની પરિવારના 9 સભ્યે ઊધઈ મારવાની દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા

રાજકોટમાં આજે સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. શહેરના એક સોની પરિવારના 9 સભ્યે ઊધઈ મારવાની દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તમામની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈના 4 વેપારીને આપેલા સોનાના માલના પોણાત્રણ કરોડ રૂપિયા ન આપતાં સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું છે તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોની પરિવારના 9 સભ્યે રાત્રે અથવા વહેલી સવારે દવા પીધી હતી, જોકે બપોરના સમયે તમામને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ સોની પરિવારને મુંબઈની પેઢી સાથે કરોડોની લેતીદેતી હતી. મુંબઈની 3 પેઢી દ્વારા સોની વેપારીના દાગીના લઈને પૈસા કે સોનાનું પેમેન્ટ ન કરતાં પરિવારે આપઘાત માટે ઊધઈ મારવાની દવા પી લીધી છે. 8 લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 9મી વ્યક્તિને ઝેરી દવાની ઓછી અસર થઈ છે. વેપારીએ બેંકમાંથી મોટી લોન પણ લીધી હતી. સમગ્ર મામલે પરિવારની વ્યક્તિએ વિગત જણાવી છે.

સ્વજન કેતન ઓડેસરાએ જણાવ્યું હતું કે અમે સોની વેપારી છીએ. અમારે ઓર્ડર પ્રમાણે સોનાનું કામ કરવાનું હોય છે. અમે બહારના વેપારીને માલ આપીએ છીએ, તેમણે અમારું પેમેન્ટ આપ્યું નથી. મુંબઈના 4 વેપારી પાસેથી પોણાત્રણ કરોડ રૂપિયા લેવાના હતા. રૂપિયા માગીએ તો ટાઇમ આપ્યા રાખે છે. 11 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરિવારના 9 સભ્યએ ઝેરી દવા પીધી છે. 15-15 દિવસના વાયદા આપતા હતા એટલે પોલીસ સુધી પહોંચ્યા નહોતા. પોલીસ પાસે ન જવાની ધમકી પણ આપતા. વિજય કૈલાસજી રાવલ, પ્રશાંત, મહેન્દ્ર નામના વેપારી છે. ઊધઇ મારવાની દવા પી લીધી છે.

મૂળ સિહોરના પાડાપાણ ગામે રહેતા અને સુરત ખાતે સ્થાયી થયેલા વિનુભાઇ મોરડિયા તેનાં પત્ની શારદાબેન તેમજ પુત્રી સૈનિતા (ઉં.વ.19) અને પુત્ર ક્રિશ (ઉં.વ. 17) ચારેય સભ્યએ 8 જૂન, 2023ના રોજ સુરતમાં તેના ઘરેથી થોડે દૂર જઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ચાર સંતાનના પિતા વિનુભાઇએ આત્મહત્યાનું પગલું ભરી લીધું, ત્યારે તેનાં અન્ય બે સંતાનો ઋષિતા વિનુભાઇ મોરડિયા અને પાર્થ મોરડિયા ઘરે હાજર ન હોય, જેથી તેઓ બન્ને બચી ગયા હતા. જો કે, આ ઘટના જીરવી ન શકતા બન્ને ભાઈ-બહેને અઢી મહિના બાદ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. એટલે કે અઢી મહિનામાં જ પરિવારના 6-6 સભ્યએ આપઘાત કરી લીધો હતો.

પિતા હીરાનું કામ કરતા અને બે દીકરી મશીન ચલાવતી

વિનુભાઈ સુરતમાં હીરા ઘસતા હતા, જ્યારે તેની બન્ને દીકરી સાડીના લેસના પટ્ટાનું મશીન ચલાવતી હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે એક પુત્ર અભ્યાસ કરતો હતો અને મોટો પુત્ર કોલેજ સુધીના અભ્યાસ બાદ કંઈ કામધંધો કરતો નહોતો. જેના કારણે ઘરમાં કંકાસ અને ઝઘડાઓ થયા કરતા હતા. લગ્નની ઉંમર છતાં પુત્ર કામ કરતો ન હોવાથી પિતાને વધુને વધુ ચિંતા કોરી ખાતી હતી.

દવા પીનાર પરિવારના સભ્યોનાં નામ

  1. લલિત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72)
  2. મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉં.વ.64)
  3. ચેતન લલિતભાઈ આડેસરા (ઉં.વ.45)
  4. દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43)
  5. જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21)
  6. વિશાલ લલિતભાઈ આડેસરા (ઉં.વ.43)
  7. સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41)
  8. સગીર (ઉં.વ.15)
  9. એકને ઝેરની ઓછી અસર થઈ છે
Don`t copy text!