દાહોદ પંચાલ સમાજ પ્રગતિ મંંડળના નવિન હોદ્દેદારની વરણી માટે સભા યોજી.

દાહોદ,
દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળમાં આગામી વર્ષ માટે નવીન હોદ્દેદારઓની વરણી બાબતે દાહોદ પંચાલ સમાજની વાડી ખાતે કારોબારી સભા મળી હતી. જેમાં પ્રમુખ તરીકે રાજેશભાઈ નાથાલાલ પંચાલ, મહામંત્રી તરીકે સુરેશભાઈ એસ.પંચાલ, ખજાનચી તરીકે રમેશભાઈ એમ.પંચાલ.કાર્યધ્યાક્ષ તરીકે હસમુખભાઈ પી.પંચાલ, સિનિયર ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ આર.પંચાલ, સિનિયર મંત્રી તરીકે જયેશકુમાર બાબુલાલ પાંચાલ અને સંયોજક તરીકે વિજયભાઈ પંચાલની વરણી કરવામાં આવી હતી. આ સિવાય અન્ય હોદ્દાઓની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. કારોબારી સભાના અધ્યક્ષ ધીરજલાલ કે.પંચાલે બિનહરીફ હોદ્દેદારોની જાહેરાત કરી અને સૌને અભિનંદન પાઠવ્યા હતા.