મહીસાગર જીલ્લાની 1316 આંગણવાડી કેન્દ્રોમાં મમતા દિનની ઉજવણી કરાઈ

  • મમતા દિન નિમિત્તે એનીમિયા, કુપોષણ, રસીકરણ ,સમયસર આરોગ્ય તપાસ વગેરે બાબતો વિશે લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

મહીસાગર જીલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલના માર્ગદર્શનમાં તથા પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેનના સંકલન હેઠળ આઇ.સી.ડી.એસ. ટીમ દ્વારા ગામે ગામ આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.

જે અંતર્ગત આજરોજ જીલ્લાની 1316 આંગણવાડી કેન્દ્રોમાં મમતા દિન નિમિત્તે એનિમિયા, ડાયરીયા,SAM મેનેજમેન્ટ, રસીકરણ વગેરે વિષયો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો ખાતે એનીમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શાળાએ જતી અને ન જતી કિશોરીઓના HB અને BMI ની તપાસ, સગર્ભા માતાના વજનની ઝુંબેશ રૂપે કામગીરી અને તેની પોષણ ટ્રેકરમાં ડેટા એન્ટ્રી જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા “પોષણ માહ 2024”ની ઉજવણી કરવામાં આવી. આ પ્રવૃતિઓમાં 6133 સગર્ભા બહેનો,4390 ધાત્રી માતાઓ, 0 થી 06 માસના 3892 બાળકો અને 06 માસથી 03 વર્ષના 36082 જેટલા બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો.

આજે મમતા દિન નિમિત્તે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલ, જીલ્લા આરસીએચ અધિકારી ડો. કમલેશ.કે.પરમારે લુણાવાડા મુલથાનપુરા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ એનીમિયા, કુપોષણ, રસીકરણ, સમયસર આરોગ્ય તપાસ, હેન્ડવોશિંગ,ઝાડા નિયંત્રણ વગેરે બાબતો વિશે લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં આંગણવાડી કેન્દ્ર અને આરોગ્યની ટીમ તેમજ લાભાર્થી માતાઓ કિશોરીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.