મોદીએ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની બેઠકની અધ્યક્ષતા કરી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એએનઆરએફ એટલે કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની પ્રથમ ગવનગ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સિવાય સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કુમાર સૂદ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.

આ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની ઘણી યુનિવસટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ અને આરએન્ડડી પ્રયોગશાળાઓમાં સંશોધન અને વિકાસ કાર્ય વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અહીં વિવિધ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતપોતાની સંસ્થાઓમાં સંશોધન અને વિકાસ કાર્ય વિશે માહિતી આપી હતી.

આ ફાઉન્ડેશને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે વિશેષ પહેલ કરી છે. આ અંતર્ગત સંશોધન અને વિકાસ કાર્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. છદ્ગઇહ્લ ની સ્થાપના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ની ભલામણ પર કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દેશની યુનિવસટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓમાં સંશોધન અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દેશમાં વૈજ્ઞાનિક સંશોધન માટે ઉચ્ચ સ્તરીય વ્યૂહરચના પ્રદાન કરવા માટે એક સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્ય કરે છે.

તેની સ્થાપના એએનઆરએફ એક્ટ ૨૦૨૩ હેઠળ કરવામાં આવી હતી. તે દેશમાં સંશોધનના ક્ષેત્રમાં પડકારોનો સામનો કરે છે અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. આ પહેલ હેઠળ સંશોધકોને સુવિધાઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ આપવામાં આવે છે.