પંંચમહાલ આયુષ એસોશીએસન અને આર્યુવેદિક હોમિયોપેથીક મેડીકલ પ્રેકટીશનર્સ દ્વારા રાજ્યસભા સાંસદ અને સાંસદનો સત્કાર સમારંભ યોજયો

આજરોજ આયુષ એસોસિએશન પંચમહાલ તેમજ આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ પ્રેક્ટિસનર્સ એસોસિએશન ગોધરાના સંયુક્ત ઉપક્રમે નવનિયુક્ત રાજ્યસભા સાંસદ ડો. જશવંતભાઈ પરમાર તેમજ નવનિર્વાચિત લોકસભા સાંસદ, પંચમહાલ રાજપાલસિંહ જાદવના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પંચમહાલ ડેરીના ચેરમેન અને શહેરાના લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તેમજ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, પંચમહાલના ભાજપના ખૂબ જ જૂના કાર્યકર્તા સૌના વડીલ એવા ડો.ચંદ્રકાંતભાઈ પંડ્યા, પંચમહાલ ભાજપા ઉપાધ્યક્ષ ડો. યોગેશભાઈ પંડ્યા, ડો.વિજય પટેલ તેમજ ડો.વિશાલભાઈ સોની, પંચમહાલ તેમજ ગોધરા આયુર્વેદિક પ્રેક્ટિસનર્સ એસોસિએશનના મહામંત્રી ડો. હર્ષદ મહેરા, ડો. મહેશભાઈ, ડો. શ્યામ સુંદર શર્મા, ડો. પ્રદીપ પાઠક, ડો .રાજેશ રાવલ તેમજ ગોધરા, કાલોલ, હાલોલ ,ઘોઘંબા ,જાંબુઘોડા, મોરવાહડફ , લુણાવાડા, વીરપુરથી આયુર્વેદીક અને હોમિયોપેથીક તબીબો ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.